ચાઈનીઝ દોરીને કારણે એક જ દિવસમાં થયા આટલા લોકોના મોત!! મકરસંક્રાંતિનો પર્વ ફેરવાયો માતમમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 10:09:27

ઉત્તરાયણ દરમિયાન વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. 14મી જાન્યુઆરીના રોજ એટલે કે ઉત્તરાયણના દિવસે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. એક જ દિવસમાં 3 લોકોના મોત પતંગની દોરીને કારણે થયા છે.  

સોસાયટીના ચેરમેનોનો માથાનો દુઃખાવો વધ્યો, આ રીતે ધાબા પર પતંગ ચગાવવા માટે  કરી રહ્યાં છે પ્લાનિંગ | uttarayan festival public kite notification  gujarat government


ગળા કપાઈ જવાને કારણે થાય છે મોત 

મકરસંક્રાંતિનો પર્વ લોકો ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવતા હોય છે. પતંગ ચગાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. પતંગ ચગાવવા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. પરંતુ  આ દોરીને કારણે લોકોના જીવન પર સંકટ રહેતું હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે જેને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાતો હોય છે. અનેક લોકોના મોત પણ થતા હોય છે.


અનેક પરિવારે ખોયા પરિવારના સભ્યો 

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. પતંગની દોરીને કારણે એક જ દિવસમાં ત્રણ પરિવારે પોતાના પરિવારના સભ્યોને ખોયા છે. 


ત્રણ લોકોના થયા દોરીને કારણે મોત 

વડોદરામાં પતંગની દોરીને કારણે એક યુવકનો જીવ ગયો. ગળામાં દોરી આવી જતા અકસ્માત સર્જાયો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. બીજી ઘટનામાં 4 વર્ષીય બાળક ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હતો. મહેસાણાના વિસનગરના કડા દરવાજા નજીક આ ઘટના બની હતી. ચાઈનીઝ દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને જે બાદ તે માસુમ બાળક મોતને ભેટ્યો હતો. જ્યારે ત્રીજી ઘટનામાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગળામાં દોરી આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ સિવાય પણ અનેક ગંભીર અકસ્માત સર્જાયા છે. 108ની ટીમને પણ હજારોની સંખ્યામાં ઈમરજન્સી ફોન આવ્યા હતા. પક્ષીઓને પણ આને કારણે ઈજાઓ પહોંચી છે અને મોત પણ થયા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.