Ahmedabadમાં નોંધાયા Coronaના આટલા નવા કેસ, એક્ટિવ કેસમાં થયો વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 14:59:43

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસ સામે ન આવતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં 8 નવા કેસ સામે આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. મહત્વનું છે કે ગઈકાલે એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું છે. 

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

અમદાવાદમાં નોંધાયા 8 નવા કોરોનાના કેસ 

કોરોનાના નવા વેરિયન્ટને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા અનેક કેસો નોંધાઈ રહ્યા છે જેને કારણે લોકોમાં કોરોનાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. દેશમાંથી તો કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર કોરોના કેસના વધારામાં ગુજરાત ચોથા સ્થાને આવે છે. નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગુજરાતમાં વધી રહ્યા છે નવા વેરિયન્ટના કેસ 

કોરોનાના JN1 વેરિયન્ટને કારણે ભારતમાં ચિંતા વધી છે. પ્રતિદિન કોરોનાના દર્દીઓ તો નોંધાય છે પરંતુ નવા વેરિયન્ટના પણ કેસ નોંધાય છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.


ક્યાં કેટલા નોંધાયા કેસ? 

જો સમગ્ર દેશની વાત કરીએ તો 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

સુરત: દવાની કંપનીના માલિકનું શંકાસ્પદ મોત, પોસ્ટ મોર્ટમમાં પણ ખુલાસો નહીં  થયો, સેમ્પલ લીધા – Gujaratmitra Daily Newspaper

ગઈકાલે મહિલાનું થઈ ગયું હતું મોત 

મળતી માહિતી અનુસાર મંગળવારે કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારથી નોંધાયા છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાંથી અનેક લોકો બહારગામ ફરીને આવ્યા છે. શહેરમાં 42 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે કોરોનાને કારણે એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે.  


ક્રિસમસ બાદ વધી શકે છે કોરોના કેસ        

હાલ ક્રિસમસ વેકેશનને લઈ લોકો બહારગામ ગયા છે. હિલસ્ટેશન પર લોકોનું મહેરામણ ઉમટી પડ્યું છે. અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના કેસમાં આ વેકેશન બાદ વધારો આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. મહત્વનું છે કે કેરળના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!