Gujaratમાં Anti Corruptionના આટલા કેસ પેન્ડિંગ! ભષ્ટાચારના વધતા કેસને લઈ વિચારવું પડશે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?


  • Published By :
  • Published Date : 2023-12-09 14:22:05

ભ્રષ્ટાચારની વાતો અનેક વખત કરવામાં આવે છે, ભ્રષ્ટ અધિકારીઓની પણ વાતો કરવામાં આવે છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે એસીબીએ લાંચ લેતા પોલીસકર્મીને, સરકારી અધિકારીને ઝડપી પાડ્યા. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં નજીવી રકમનો તોડ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, નાની માછલીઓ જાળમાં ફસાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. પરંતુ આપણે ક્યારે વિચાર કર્યો છે કે જે લોકો લાંચ આપે છે તે આપણામાંથી જ છે! લાંચ લેનારા તો તરત પકડાઈ જાય છે પરંતુ લાંચ આપનાર નથી પકડાતા. આ એક ગંભીર મુદ્દો છે. જો આપણે જ લાંચ નહીં આપીએ તો તે લોકો ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકશે!   

ક્યારેય વિચાર કર્યો છે કે લાંચ આપનાર ક્યારેય નથી પકડાતા!

સામાન્ય રીતે આપણે ત્યાં અનેક લોકો માને છે કે પૈસા આપી દઈશું એટલે કામ થઈ જશે. એવું પણ માનતા હોય છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે! જ્યારે આપણે કોઈ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે એજન્ટ રાખવો પડે છે. આપણા મનમાં એવા વિચારો આવે છે કે જ્યાં સુધી પૈસા નહીં આપીએ ત્યાં સુધી આપણું કામ નહીં પતે. લાંચ લેતા અધિકારીઓ, પોલીસકર્મીઓને પકડવા માટે એસીબી પ્લાન તૈયાર કરે છે આ ઓપરેશનમાં અનેક અધિકારીઓ, પોલીસ કર્મીઓ પકડાયા છે પરંતુ ક્યારે આપણને વિચાર આવ્યો કે તેમને લાંચ આપનાર નથી પકડાતા! લાંચ લેનાર તો તરત પકડાઈ જાય છે પરંતુ આપનારાઓ ક્યારેય નથી પકડાતા. 

ખાતો નથી પણ ખાવા દઉ છું? સંવેદનશીલ સરકારમાં ભ્રષ્ટાચારનો આધુનિક વિકાસ!  શહેરી વિકાસ, મહેસૂલ, પંચાયત અને ગૃહ વિભાગ તો અવ્વલ નંબરે - GSTV

ભ્રષ્ટાચારના આટલા કેસ નોંધાયા પરંતુ કેટલા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!

આપણું કામ કઢાવવા માટે આપણે પૈસા આપી દઈએ છીએ પરંતુ એવું નથી વિચારતા કે આપણે આપણા સમાજને કઈ દિશામાં લઈ જઈએ છીએ. જો કોઈ નૈતિક્તાથી કામ કરે છે તો તેને આપણે મુર્ખ ગણીએ છીએ , તે માણસ પ્રેક્ટિકલ નથી તેવી વાતો કરીએ છીએ. પરંતુ આવું કરવાથી આપણે સમાજમાં રહેલા યુવાનોને એવો બોધપાઠ આપીએ છીએ કે સિસ્ટમ આવી જ રીતે ચાલે છે! 3 વર્ષમાં ભ્રષ્ટાચારના 548 કેસ નોંધાયા, 442 અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાયા, 53 પાસે આવક કરતાં વધુ સંપત્તિ છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શનના 95 ટકા કેસ પેન્ડિંગ છે, માત્ર 39 ટકા લોકોને જ સજા થઈ છે. 

સમાજના લોકોએ ભ્રષ્ટાચારીઓને માથા પર ચઢાવ્યા!

જો આપણે પણ ભ્રષ્ટાચારમાં ભાગ ભજવીએ છીએ તો આપણને દેશ પ્રેમ કરવાનો અધિકારિ નથી! સમસ્યા એ છે કે આપણે પ્રશ્ન પૂછવાનું છોડી દીધું છે. કોઈ આપણને કહે છે કે તે સીએમઓ અધિકારી છે તો આપણે માની લઈએ છીએ. જો કોઈ કહે છે કે તે ધારાસભ્યનો પીએ છે તો પણ આપણે માની લઈએ છીએ. ભ્રષ્ટાચારમાં આપણે પણ ક્યાંક ભાગ ભજવી રહ્યા છીએ. તોડબાજોને આપણે માથા પર બેસાડી દીધા છે!   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!