પીએમ-સીએમના કાર્યક્રમોમાં લોકોને લાવવા-લઈ જવા એક વર્ષમાં આટલી બસોનો કર્યો ઉપયોગ! વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-17 16:43:47

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ સરકારને આપવો પડશે. ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં જનતાને લાવા-લઈ જવા કેટલી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત તેની પાછળ કેટલો ખર્ચ થયો. તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે એક વર્ષમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા રાજ્ય સરકારે જમા કરાવ્યા છે જ્યારે હજુ 53 કરોડ 814 લાખ 21 હજાર જેટલા રુપિયા એસટી વિભાગને ચૂકવવાના બાકી છે. 


કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા કરાય છે બસનો ઉપયોગ! 

જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય અથવા વડાપ્રધાન મોદીની કોઈ સભા કે રેલી હોય લોકોને લાવવા-લઈ જવા માટે બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુવિધાને લઈ લોકો એવું પણ કહેતા હોય છે કે ભીડ ભેગી કરવા માટે આ બસોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે વિધાનસભામાં ડો. કિરીટ પટેલે પીએમ-સીએમના કાર્યક્રમોમાં વાપરવામાં આવતી બસોને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યક્રમ માટે આમ જનતાને લાવવા લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે લાવવામાં આવી હતી? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની કેટલી રકમ ચૂકવવામાં આવી અને કેટલી રકમ ચૂકવવાની બાકી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


આટલા પૈસા ચૂકવવાના બાકી છે? 

આ પ્રશ્નના જવાબમાં જણાવવાયું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા જમા કરાવ્યા છે અને હજુ 56 કરોડ 81 લાખ 21 હજાર  895 રુપિયા જેટલી રકમ સરકારે ચૂકવવાના બાકી છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.