Abuમાં હિમવર્ષા તો Tamil Naduમાં ભારે વર્ષા! જાણો Gujaratના હવામાનનો કેવો છે મિજાજ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-20 14:32:03

ગુજરાતના અનેક શહેરોમાં શિયાળાની અસર દેખાતી શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થતો હતો પરંતુ હવે ધીરે ધીરે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. ઠંડીનો અનુભવ શરૂ થતા બપોરના સમયે પણ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પણ હિમવર્ષા થઈ છે જેને કારણે બરફની ચાદર નીચે માઉન્ટ આબુ ઢંકાઈ ગયું હોય તેવું લાગે છે,

Weather update: નવા વર્ષના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, તાપમાનનો પારો  2થી 3 ડિગ્રી ગગડ્યો - Gujarati News | Weather update Freezing cold in the  state on the first day of the

       

નલિયાનું તાપમાન પહોંચ્યું 11.8 ડિગ્રી પર! 

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. તમિલનાડુંમાં તો વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. એટલી ભયંકર વર્ષા થઈ રહી છે કે ત્યાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના વાતાવરણ પર પણ હિમવર્ષાની અસર દેખાઈ રહી છે. મંગળવારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 પર પહોંચ્યું હતું. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું. સુરતનું તાપમાન 20.8 જ્યારે વલસાડનું તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગરનું તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. મહત્વનું છે કે શિયાળાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.  



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.