સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી માટે આપેલા નિવેદનથી મચ્યો ખળભળાટ! એવું તો શું કહ્યું કે લોકો સ્મૃતિ ઈરાનીને જૂની તસવીરો કરાવી રહ્યા છે યાદ!


  • Published By :
  • Published Date : 2023-05-06 13:35:30

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીને મંદિરને લઈ એક ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાના મંદિર વાળા નિવેદન પર તેમની પ્રતિક્રિયા માગી હતી. તેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને નમાજ અદા કરતા જોયા હતા. પ્રિયંકા ગાંધી ક્યારે અને ક્યાં નમાજ અદા કરતા દેખાયા હતા તે પણ જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીનું આ ઈન્ટરવ્યું વાયરલ થયા બાદ અનેક યુઝર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ભાજપના નેતાઓની તસવીરો શેર કરી હતી. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બીજેપીના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે.

     


પ્રિયંકા ગાંધીએ નમાજ અદા કરી હતી!

કર્ણાટકમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. અભદ્ર શબ્દોથી લઈને બજરંગબલીના નામનો ઉપયોગ આ વખતની ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લઈ ટિપ્પણી કરી છે. જેમાં સ્મૃતિ ઈરાની દાવો કરી રહ્યા છે કે 2019માં તેમણે શ્રીમતી વાડ્રાને રસ્તા પર નમાજ અદા કરતા જોયા હતા. ઈસ્લામ ધર્મમાં માનનારા મૂર્તિપૂજક ન બની શકે, મંદિર ન બનાવી શકે તેવું સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. 


ભાજપના નેતાઓના ફોટા પણ થઈ રહ્યા છે વાયરલ!

સ્મૃતિ ઈરાનીનો ઈન્ટરવ્યું વાયરલ થતાં ટ્વિટર પર સ્મૃતિ ઈરાની ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. અનેક યુઝર્સ દ્વારા આ મામલે ટ્વિટ કરવામાં આવી રહી છે, જેમાં ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે. જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં સ્મૃતિ ઈરાની પણ દેખાઈ રહ્યા છે. સ્મૃતિ ઈરાની અને પીએમ મોદીની તસવીર છે જેમાં અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી હતી. ત્યારે આ મુદ્દે તમારૂ શું કહેવું છે?    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.