અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસોના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આપ્યો વળતો જવાબ, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-02-17 17:27:44

અદાણીના મુદ્દાની ચર્ચા ન માત્ર ભારતમાં પણ વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે. ત્યારે અમેરિકાના મોટા બિઝનેસમેન ગણતા જ્યોર્જ સોરોસોએ અદાણીના મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. સોરસોએ કીધું હતું કે પીએમ મોદી આ મુદ્દે શાંત છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અદાણીના મુદ્દે ભારતમાં એક લોકતાંત્રિક પરિવર્તન થશે. આ વાતને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસે વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનને વિદેશી કાવતરૂ ગણાવ્યું છે. 


અદાણી મુદ્દે જ્યોર્જ સોરસે સાધ્યું હતું વડાપ્રધાન મોદી પર નિશાન 

હિંડનબર્ગે અદાણી મુદ્દે એક રિપોર્ટ બહાર આપ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મ્યુનિખ સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ દરમિયાન અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરસે નિવેદન આપ્યું હતું કે સ્ટોક માર્કેટમાં અદાણીના શેર પત્તાંની જેમ વિખેરાઈ ગયા. મોદીએ આના પર જવાબ આપવો પડશે, જેનાથી સરકાર પર તેમની પકડ નબળી પડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં મોદી અને બિઝનેસ ટાઈકૂન અદાણી એકબીજાના સહયોગી છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત ક્વાડનું સભ્ય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન પણ તેમની સાથે છે. આમ છતાં ભારત રશિયાથી મોટા ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદી નફો કમાઈ રહ્યું છે. તે સિવાય અનેક બાબતો પર જ્યોર્જ   


સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો વળતો જવાબ 

આ બધા પર સ્મૃતિ ઈરાનીએ વળતો જવાબ આપ્યો છે. જ્યોર્જે કહ્યું હતું કે ભારત લોકતાંત્રિક દેશ છે પરંતુ વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી. તેમનું ઝડપથી નેતા બનવાનું કારણ છે મુસ્લિમો સાથે કરેલી હિંસા. આ નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો કે વિદેશી ધરતીથી ભારતના લોકતાંત્રિક માળખાને નબળું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતની ડેમોક્રેસીમાં દખલઅંદાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 


સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે જ્યોર્જ સોરોસે એલાન કર્યું હતું કે હિન્દુસ્તાનમાં એવી વ્યવસ્થા બનાવીશું, જે તેના હિતની નહીં, પણ તેમના પોતાના હિતની રક્ષા કરશે. તેમણે કહ્યું હતું કે ભારતના લોકતાંત્રિક માળખા પર પ્રહાર કરીશું અને પીએમ મોદીને પ્રહારના કેન્દ્રમાં રાખીશું. આનો દરેક ભારતીયે જડબાતોડ જવાબ આપવો જોઈએ.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.