ગૌરવ યાત્રામાં સ્મૃતિ ઈરાની થયા સામેલ, આણંદ ખાતે સંબોધન વખતે આપ કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 09:07:29

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી છે. અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર માટે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં આ યાત્રા ફરી ભાજપનો પ્રચાર કરી રહી છે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપી રહ્યા છે. ત્યારે આણંદ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૈરવ યાત્રા નિકળી હતી. પોતાના ભાષણ દરમિયાન સ્મૃતિએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.   

આમ આદમી પાર્ટી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા પ્રહાર

આણંદ ખાતે સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રા નીકળી હતી જેને સારુ જનસમર્થન મળ્યું હતું. પોતાના યાત્રા દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી પર નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ માત્ર અપશબ્દ બોલીને તમામ મર્યાદાની હદો વટાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં આ મુદ્દો ધર્મનો કે જાતિનો નથી પરંતુ ગુજરાતના સંસ્કારોનો છે. આ પાર્ટી એવો દાવો કરી રહી છે કે ગુજરાતને નવા એન્જીનની જરૂર છે પરંતુ તેમની પોતાની ગાડી બંધ થઈ ગઈ છે.


ભાજપ તેમજ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ 

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવાની જવાબદારી હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે. જેને લઈ અનેક કેન્દ્રીય મંત્રીઓ એકબાદ એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ ભાજપના અને વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ અત્યારસુધી જેટલું કામ કર્યું છે એટલુ કામ કરવાની તાકાત અન્ય લોકોમાં નથી. આવા લોકો કામમાં તાકાત લગાડવાની જગ્યાએ માતાને અપશબ્દ બોલવામાં વેડફે છે. અનેક વખત ગુજરાતમાં રસાકસીનો માહોલ જામ્યો છે પરંતુ અત્યારસુધી કોઈના પણ માતા વિશે અપશબ્દ બોલ્યા નથી.     




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.