Surat મનપાની ઘોર બેદરકારી! 15 કરોડના JCB ખરીદ્યા બાદ ખબર પડી કે ચલાવવાવાળા ડ્રાઈવર તો અમારી પાસે છે જ નહીં, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-16 13:53:49

ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં વસ્તુની ખરીદી તો કરી લેવામાં આવતી હોય છે પરંતુ તે પછી તે વસ્તુઓ પછી ધૂળ ખાતી જોવા મળતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાથી ફરિયાદ આવી છે કે અહીં મનપા તરફથી 23 જેટલી જેસીબી ખરીદવામાં આવી હતી પણ હજુ પણ આ 15 કરોડના નવા જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે આવી ટ્વિટ દિનેશ કાછડિયાએ કરી છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે. 

કરોડો રૂપિયાના જેસીબી ખાઈ રહ્યા છે ધૂળ 

મહિના પહેલા જ્યારે સમાચાર આવ્યા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે જેસીબીની આરટીઓ કામગીરી કરવામાં આવી રહી છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધુ બરોબર હોવા છતા પણ કરોડો રૂપિયાના જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સામે એવું આવી રહ્યું છે કે સુરત મનપા પાસે જેસીબી ચલાવવા માટે કુશળ ડ્રાઈવર નથી. સવાલ અહીં એ થાય છે કે જો સુરત મનપા પાસે ડ્રાઈવર ન હતા, તો પછી જેસીબી ખરીદવા શા માટે આવ્યા, વર્ષ પહેલા લેવામાં આવેલા જેસીબી સુરત મહાનગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યા છે. 

ડ્રાઈવર નથી તો કેમ ખરીદ્યા આટલા જેસીબી?  

સુરત મહાનગરપાલિકા તરફથી 7 નાના રોલર જેસીબી અને 4 હેવી લોડર જેસીબીની ખરીદી કરવામાં આવી છે પણ હજુય આટલો સમય થઈ ગયો હોવા છતાં જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સવાલ એ પણ થાય છે કે આ વસ્તુઓ કોઈ વેચી ખાશે તો જવાબદારી કોની રહેશે? શા માટે જેસીબી ખરીદવામાં આવી જો ચલાવવા માટે ડ્રાઈવર જ ન હતા, સવાલો ઘણા બધા છે આ બધુ લીધું એનાથી કોઈને વાંધો ન હોય પણ લેવા માટે જે જલ્દી કરવામાં આવી હતી. 

સુરતના મેયરે આવ્યું આ નિવેદન!

જ્યારે આ મામલે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાને ફોન કર્યો અને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તેમનો જવાબ હતો કે હું વિગતો મેળવી લઉં પછી જવાબ આપું. તેની સામે સુરત વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.