નવરાત્રીના પાંચમા નોરતે થાય છે સ્કંદમાતાની ઉપાસના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 09:41:10

નવરાત્રીના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે. દેવી ભાગવત અનુસાર દેવીના અલગ-અલગ સ્વરૂપો સ્ત્રીના જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે. માતા પાર્વતી તેમજ ભગવાન શંકરના સંતાન કાર્તિકેય ભગવાનને સ્કંદ પણ કહેવામાં આવે છે. સ્કંદની માતા હોવાથી તેઓ સ્કંદમાતા કહેવાયા છે. માતાજી આ સ્વરૂપ ધારણ કરી ભક્તો રૂપી પોતાના સંતાનોની રક્ષા કરે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જ્યારે દેવરાજ ઈન્દ્રએ કાર્તિકેયને હેરાન કર્યા હતા ત્યારે માતાજીએ સિંહ પર સવાર થઈ કાર્તિકેય સ્વામીની રક્ષા કરી તેમને પોતાના ખોળામાં લઈ લીધા હતા. જેના કારણે દેવરાજ ઈન્દ્ર ડરી ગયા અને માતા સ્કંદમાતાને પ્રાર્થના કરવા લાગ્યા.  

Skanthmata Puja Vidhi Five Day Of Navratri | અમોઘ ફળદાયિની છે માનું પાંચમું  સ્વરૂપ સ્કંધમાતા, આ રીતે પૂજન કરવાથી અપાર સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ


કેવું છે માતા સ્કંદમાતાનું સ્વરૂપ

માતાજીના સ્વરૂપની જો વાત કરીએ તો, માતા સિંહ પર સવાર થયા છે. પોતાની બે ભૂજામાં કમળ ધારણ કર્યું છે, એક હસ્તથી સ્વામી કાર્તિકેયનું રક્ષણ કરી રહ્યા છે અને એક હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવા સાધકે સાધના કરી જોઈએ. માતાની ઉપાસના કરવાથી કુંડલિની જાગૃત થાય છે. તેમને પ્રસન્ન કરવા આ મંત્રનો જપ કરવો જોઈએ.  

चैत्र नवरात्रि: पांचवें दिन इस प्रभावशाली मंत्र से करें ''स्कंदमाता'' की  पूजा, मिलेगा मनचाहा वरदान | Hari Bhoomi

માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવાનો મંત્ર

“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी."

અર્થાત સિંહ પર સવારી કરનાર અને  પોતાના બે હાથોમાં પદ્મ એટલે કમળ ધારણ કરનાર સ્કંદમાતા અમારૂ કલ્યાણ કરો અને અમને યશ આપો. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેના પર દેવી કૃપા દ્રષ્ટિ રાખે છે. પોતાના બાળ જેવી સંભાળ રાખે છે.એવું માનવામાં  આવે છે માતા સ્કંદની આરાધના કરતા પહેલા કુમાર સ્કંદને પ્રસન્ન કરવા જોઈએ. જો સંતાન પ્રસન્ન હશે તો માતા અવશ્ય પ્રસન્ન થઈ જશે. દેવીની કૃપાથી ઘરમાં સુખ,શાંતી અને સમૃદ્ધિનો વાસ રહે છે. માતાજીને નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવામાં આવે છે. 









હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.