ક્રિતી સેનન અને ડાયરેક્ટના કિસ વિવાદ પર રામાયણ સિરીયલના સીતાજીએ આપી પ્રતિક્રિયા! સીતાજી વિશે દીપિકા ચીખલિયાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-09 15:35:29

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. ફિલ્મમાં પાત્ર નિભાવનાર કલાકારો સતત ચર્ચામાં આવી રહ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મ હીટ જાય તે માટે કલાકારો ભગવાનના શરણે જતા હોય છે. ત્યારે ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવનાર ક્રિતી સેનન વિવાદમાં ફસાઈ છે. ટ્રેલર લોન્ચ થયા બાદ વેંકટેશ્વર મંદિરના દર્શને ક્રિતી સેનન અને ડિરેક્ટર ઓમ રાઉત ગયા હતા ત્યારે ઓમ રાઉતે ક્રિતી સેનને ગાલ પર કિસ કરી અને હગ કરી હતી. મંદિરમાં આ પ્રકારનું વર્તન કરતા મંદિરના પૂજારી તેમજ ધાર્મિક ગુરૂઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારે આ મામલે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દિપીકા ચીખલિયાએ પ્રતિક્રિયા આપી છે.


પાત્રની ગરિમા જાળવવી જરૂરી છે - દિપીકા ચીખલિયા

રામાયણના સિરીયલના સીતાજીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ક્રિતીએ વિચારવું જોઈએ કે તે સીતાનું પાત્ર ભજવી રહી છે. તેઓ હજુ સુધી આ પાત્રના મહત્ત્વથી વાકેફ નથી. સીતાજી લોકો માટે લાગણી સમાન છે. તેથી જ આ ભૂમિકાની ગરિમા જાળવવી જરૂરી છે.' દીપિકાએ કહ્યું કે 'જ્યારે તેઓ રામાયણનું શૂટિંગ કરતાં હતાં, ત્યારે તેઓ એકબીજાને ગળે લગાવતાં પણ નહોતાં, સેટ પર કિસની વાત તો દૂરની છે.'       


ધર્મગુરૂઓએ દર્શાવી હતી નારાજગી!

ક્રિતી સેનને અનેક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે