Jamnagarમાં અંધશ્રદ્ધાના નામ પર બહેનને મારી નાખી, અંધશ્રદ્ધાના નામ પર ક્યાં સુધી લેવાતો રહેશે નિર્દોષ લોકોનો ભોગ?


  • Published By :
  • Published Date : 2023-10-19 17:26:46

આપણે ત્યાં નાની બાળકીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તો કુંવારી કન્યાઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. શક્તિની આરાધના કરવામાં આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ત્યારે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકીને અપશુકનીયાળ માનીને તેની બલી ચઢાવી દેવામાં આવી છે. સગા ભાઈએ અને તેની બહેને પોતાની નાની બહેનને મોતને ઘાટ ઉતારી છે. 15 વર્ષની સગીરાની બલી અંધશ્રદ્ધાને કારણે ચઢાવવામાં આવી છે.

ભાઈ-બહેને ભેગા મળીને નાની બહેનને મારી નાખી!

એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ. ચંદ્ર પર પહોંચવાની વાતો કરીએ છીએ પરંતુ આપણા સમાજમાં હજી પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે માત્ર એક પાતળી લીટી હોય છે. શ્રદ્ધા રાખવી સારી છે પરંતુ જ્યારે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે ત્યારે તે કોઈનો ભોગ લઈ લેતી હોય છે. જામનગરથી જે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. જામનગરના ધ્રોલ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની જ બહેનનો ભોગ લીધો. જ્યારે પરિવારને તાંત્રિકે કહ્યું કે આ દીકરી અપશુકનિયાળ છે. જો પ્રગતિ કરવી હશે તો તેની બલી ચઢાવી પડશે. આ સાંભળ્યા બાદ ભાઈએ અને બહેને 15 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી છે. નાની બહેન માટે તેના જ ભાઈ બહેન રાક્ષસ બની ગયા. નાની બહેનને નિર્વસ્ત્ર કરી અને તેને લાકડાના ઘા માર્યા હતા.

 

પોલીસે આ મામલે કરી ત્વરીત કાર્યવાહી

15 વર્ષની સગીરા બૂમો પાડી રહી હતી પરંતુ તેનો અવાજ સાંભળવામાં આવ્યો નહીં. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. ભાઈ-બહેન અહીંયા પણ રોકાયા નહીં. દીકરીને બહાર લઈ આવ્યા અને તેનું માથું દીવાલ સાથે ભટકાવી દીધું. સગીરાનું મોત થઈ ગયું હતું, ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારા ભાઈ રાકેશની ધરપકડ કરી લીધી છે. બહેન સગીરા હોવાને કારણે પોલીસે તે રીતે કાયદાકીય પગલા લીધા છે. 

સાસુએ તાંત્રિક વિધિ કરાવ્યા પછી પતિએ વાળ પકડીને દિવાલમાં પછાડી, કાઢી મૂકી:  પરિણીતાએ નોંધાવી ફરિયાદ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર  ...

અંધશ્રદ્ધા ફેલાવતા તાંત્રિકો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

અંધશ્રદ્ધાના નામે અનેક લોકોના ભોગ લેવાયા છે. અનેક એવી ઘટનાઓ આપણી સામે છે જેમાં નિર્દોષ લોકોની બલી ચઢાવવામાં આવી હોય. મહત્વનું છે કે જે લોકો અંધશ્રદ્ધાના નામે નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તે લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જેમના કહેવાથી અંધશ્રદ્ધાના નામે લોકોના જીવ જઈ રહ્યા છે. એ તાંત્રિકો, એ બાબાઓ વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે જે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે?

સ્મશાનમાં વિધિ કરીશ, તારું આખું ખાનદાન સાફ થઈ જશે.. તાંત્રિકે રૂપિયા  ખંખેર્યા | 1 13 lakh has been lost due to falling into the trap of Tantrik


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!