જીગ્નેશ બારોટની ગાડી રતનપુર બોર્ડર જવાની? નહીં!!! કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની?


  • Published By :
  • Published Date : 2022-11-09 18:42:12

મહેસાણાના ખેરાલુના વતની અને ગુજરાતના જાણિતા ગાયક જીગ્નેશ બારોટ ઉર્ફે કવિરાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. પરંતુ જોવા જેવી વાત તો એ છે કે જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને જિગ્નેશ કવિરાજને પાણીમાં બેસી જવાનું રહેશે. ભાજપમાંથી જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે પણ સંગઠનમાં કામગીરી કરવા માટે જવાબદારીઓ દેવાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 


કવિરાજને પાણીમાં બેસાડશે ભાજપ?

અગાઉ જીગ્નેશ બારોટ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાના છે તેવા સમાચાર ચાલી રહ્યા છે પરંતુ પક્ષ મામલે હજુ કોઈ જાહેરાત નહોતી થઈ. થોડા દિવસો અગાઉ સમાચાર ચાલી રહ્યા હતા કે જીગ્નેશ કવિરાજ અપક્ષમાં લડશે. જીગ્નેશ કવિરાજ મૂળ ખેરાલુના છે અને તેમની ફેન ફોલોવિંગ ખેરાલુ વિસ્તારમાં વધારે છે. માટે ખેરાલુ વિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી સંભાવાનાઓ ચાલી રહી હતી પરંતુ હવે બધી સંભાવનાઓ પર બ્રેક લાગી ગઈ છે. કારણ કે ભાજપમાં જોડાયા બાદ જીગ્નેશ બારોટને ચૂંટણી લડવા નહીં મળે અને કવિરાજને પક્ષને મજબૂત કરવા અને મતદાન પહેલા ભાજપને જીતાડવાની કામગીરી કરવાની રહેશે તેવા સમાચારો મળી રહ્યા છે. 

વિધાનસભા ચૂંટણી પહેલા શિસ્તબદ્ધ ગણાતી ભાજપ ઘણી નવાજૂની કરે તેવા એંધાણ છે. બે જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ભાજપે પોતાના પક્ષમાં જોડી લીધા છે ત્યારે હવે ભાજપ કઈ નવી ચાલો ચાલશે તે જોવાનું રહેશે.


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.