હમણાંથી રાજ્યમાં તાપમાનનો પારો પહોંચ્યો 30 ડિગ્રીને પાર, આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર


  • Published By :
  • Published Date : 2023-02-15 17:19:51

રાજ્યમાંથી ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થતો હોય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે જેમ ઠંડીએ રેકોર્ડ તોડ્યા છે તેમ ગરમી પણ આ વખતે તમામ રેકોર્ડ તોડી શકે છે.     

 

આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર 

ઘણા સમય બાદ રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ઘટી રહ્યો હતો. પરંતુ ધીરે ધીરે શિયાળાની સિઝન સમાપ્ત થઈ રહી છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે આકરો તાપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


30 ડિગ્રીને પાર પહોંચ્યો તાપમાનનો પારો 

વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક  શહેરોમાં તાપમાનનો પારો હમણાંથી 30 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં બપોરના સમયે 32 ડિગ્રી જેટલું નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. આણંદમાં 36 ડિગ્રી તાપમાન, અરવલ્લીમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હમણાંથી તાપમાનનો પારો વધી જતાં ઉનાળાના દિવસો દરમિયાન  કાળઝાળ ગરમીનો અનુભવ થવાનો છે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!