હમણાંથી રાજ્યમાં તાપમાનનો પારો પહોંચ્યો 30 ડિગ્રીને પાર, આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર


  • Published By :
  • Published Date : 2023-02-15 17:19:51

રાજ્યમાંથી ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થતો હોય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે જેમ ઠંડીએ રેકોર્ડ તોડ્યા છે તેમ ગરમી પણ આ વખતે તમામ રેકોર્ડ તોડી શકે છે.     

 

આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર 

ઘણા સમય બાદ રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ઘટી રહ્યો હતો. પરંતુ ધીરે ધીરે શિયાળાની સિઝન સમાપ્ત થઈ રહી છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે આકરો તાપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


30 ડિગ્રીને પાર પહોંચ્યો તાપમાનનો પારો 

વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક  શહેરોમાં તાપમાનનો પારો હમણાંથી 30 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં બપોરના સમયે 32 ડિગ્રી જેટલું નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. આણંદમાં 36 ડિગ્રી તાપમાન, અરવલ્લીમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હમણાંથી તાપમાનનો પારો વધી જતાં ઉનાળાના દિવસો દરમિયાન  કાળઝાળ ગરમીનો અનુભવ થવાનો છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.