24 દિવસથી ખેડૂતો સરકારને આપી રહ્યા છે લડત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:45:01

ગુજરાતમાં પ્રતિદિન આંદોલનો વધી રહ્યા છે. શિક્ષકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારી પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. ત્યારે જગતનો તાત પણ પોતાના અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલનો કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 24 દિવસ જેટલો સમય વિત્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર બનાવા બેઠક યોજાશે. જેમાં જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આંદોલનકારીઓમાં ખેડૂતોનો પણ સમાવેશ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જગતનો તાત પણ આ આંદોલનમાં જોડાયા છે. પોતાના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવા તેઓ 24 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

ગાંધીનગરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી, 72 કલાકમાં વીજ સમસ્યા નહીં ઉકેલાય  તો ઉગ્ર આંદોલનની ચીમકી | Tractor rally of farmers fed up with electricity  business, police detained ...

અનેક નેતાઓના ઘર આગળ ખેડૂતોએ કર્યા ધરણા

ખેડૂતોએ અત્યાર સુધી કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીના ઘર આગળ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ તે બાદ પણ તેમની માગ ન સ્વીકારાતા ખેડૂતો રોષે ભરાયા છે. તેમના આંદોલનને વેગ આપવા તેઓએ બેઠક કરવાના છે. આંદોલનને ઉગ્ર બનાવા તેઓ જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી શકે છે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.

Farmers Again In Aggressive Mood - ખેડૂતો ફરી આક્રમક મૂડમાં, ગાંધીનગરમાં  યોજાઇ બેઠક

શું સરકારને નથી ખેડૂતોની પડી? 

આટલા દિવસો સુધી આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા વધુ પ્રયત્નશીલ છે. આજ દિન સુધી સરકારે ખેડૂતો સાથે ચર્ચા નથી કરી અથવા તો વાતચીત કરવાની તૈયારી પણ નથી બતાવી. તેનો અર્થ છે કે ખેડૂતો પ્રત્યેક સરકારને સહાનુભૂતિ જ નથી. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.