Silkyara Tunnel: NDRFનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ, શ્રમિકોની ઈમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત


  • Published By :
  • Published Date : 2023-11-22 22:48:01

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એજન્સીઓ 41 લોકોને બચાવવામાં સફળતાની નજીક પહોંચી છે. એજન્સીઓએ કહ્યું છે કે આજ રાત સુધીમાં સુરંગમાંથી મોટા સમાચાર આવી શકે છે. NDRFની 21 સભ્યોની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ટનલમાં ગઈ છે. તેમની પાસે સ્ટ્રેચર પણ લઈ ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચી ગયા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ હાજર છે. ચિન્યાલી સૌઢ હોસ્પિટલમાં તબીબોની અવરજવર ચાલુ થઈ ગઈ છે.


NDRFનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ


NDRFની 21 સભ્યોની ટીમ ટનલમાં પ્રવેશી ચુકી છે. તેની પાસે ઓક્સિજન સિલિન્ડર પણ છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં છે. NDRFની ટીમે કામદારોને સુરંગમાંથી બહાર કાઢવા માટે ખાસ પૈડાવાળા સ્ટ્રેચર લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કામદારો તેમની નબળી શારીરિક સ્થિતિને કારણે 60 મીટર સુધી ચાલી શકશે નહીં. તેથી આ પગલું ભરવામાં આવ્યું છે. ટીમ સુરંગમાં ખાસ ઓક્સિજન પેક માસ્ક પણ લઈ ગઈ છે. NDRFએ રેસ્ક્યુ બ્રીફિંગ પણ શરૂ કરી દીધું છે. NDRFના જવાનો જ સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢશે.


40 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ


સિલ્ક્યારા ટનલની બહાર પ્રાથમિક સારવાર માટેની તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. ટનલની બહાર આવેલી હંગામી હોસ્પિટલમાં આઠ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દુર્ઘટના સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી, જો જરૂરી પડશે તો, કામદારોને એઇમ્સમાં એરલિફ્ટ કરવામાં આવશે. ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલમાં 45 પથારીઓ પણ અલગથી આરક્ષિત કરવામાં આવી છે. ટનલ સાઇટ પાસે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. બચાવ દળોએ 40 એમ્બ્યુલન્સ બોલાવી છે. ઈમરજન્સી સેવા 108ને એલર્ટ પર રાખવામાં આવી છે. આ સાથે ટનલની બહાર એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. તબીબોને દુર્ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.