રાજ્યમાં શિક્ષકોનો મૌન વિરોધ! કાયમી ભરતી, જૂની પેન્શન સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા અંતે અપનાવ્યો ગાંધીચિંધ્યો માર્ગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-12 19:05:07

શાંત ગણાતા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલનો થઈ રહ્યા છે. પોતાની પડતર માગને લઈ અનેક લોકો ગાંધીચિંધ્યા માર્ગને અપનાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા શિક્ષકોની વિવિધ માગણીઓને લઈ અનેક ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી બાદ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખવામાં આવી હતી. પોતાના પડતર પ્રશ્નોને લઈ હવે શિક્ષકો લડી લેવાના મૂડમાં દેખાયા છે. પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ ઘણા સમયથી ન આવતા રાજ્યની ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો આંદોલન કરવા રસ્તા પર આવે છે.  અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ના આવતા અંતે ગ્રાન્ટેડ સ્કૂલો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.   


ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમીતિએ સરકાર વિરૂદ્ધ શરૂ કર્યું આંદોલન!  

શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. TET-TATના ઉમેદવારો ઘણા સમયથી આંદોલનના માર્ગે છે. ત્યારે હવે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષકો પણ પોતાની માગ સાથે રસ્તા પર આંદોલન કરવા તત્પર બન્યા છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષકોની ભરતીથી લઈને અનેક પ્રશ્નોને લઈ અલગ અલગ સંગઠન દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતમાં માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બાંહેધરી અનુસાર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


અમદાવાદમાં પણ શિક્ષકોએ કર્યો વિરોધ પરંતુ પોલીસે તેમની કરી અટકાયત

ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારની નિરસતા સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કુલોના સંચાલકો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ સહિત 50,000ની સંખ્યામાં લોકો જોડાયા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે પણ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને બેનરો સાથે પોતાનો અવાજ, પોતાને પડતી મુશ્કેલી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. 


કઈ માગ સાથે શિક્ષકોએ પકડ્યો ગાંધી ચિંધ્યો માર્ગ?

જો શિક્ષકોના પડતર પ્રશ્નોની માગની વાત કરીએ તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, શિક્ષકોની કાયમી ભરતી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને ભરતી આપ્યા બાદ ખાલી રહેલી જગ્યા પર કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સાતમા પગાર પંચના તફાવતનો બાકીનો પાંચમો હપ્તો આપવામાં આવે સહિતની અલગ અલગ માગને લઈ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.



મૌન ધરણા કરી શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ 

રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તબક્કાવાર શિક્ષકો પોતોના આંદોલનને આગળ વધાર્યું હતું. અમદાવાદમાં અલગ અલગ 10 જગ્યાઓ પર શિક્ષકો એકત્રિત થયા હતા, પરંતુ પોલીસ પરમિશન વગર આંદોલન કરવાના હતા જેને લઈ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આજે શિક્ષકોએ મૌન ધરણા ધર્યા હતા. આવનાર સપ્તાહમાં સોમવારથી શનિવાર સુધી તેઓ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવશે પરંતુ કાળા કપડા પહેરીને. વિરોધ પ્રદર્શન ન માત્ર અમદાવાદમાં પરંતુ ઈડરમાં પણ શિક્ષકોએ ધરણા કર્યા હતા. તે સિવાય મહિસાગરના શિક્ષકોએ પણ મૌન ધરણા ધરી સરકાર પ્રત્યે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.



તબક્કાવાર શિક્ષકોએ કર્યું આંદોલન 

પ્રથમ તબક્કામાં શિક્ષકોએ દરેક જિલ્લા કલેક્ટરને લેખિતમાં પોતાને પડતી મુશ્કેલીની વાત કરી હતી, બીજા તબક્કામાં જિલ્લાના ધારાસભ્ય અને સાંસદને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્રીજા તબક્કામાં કાળી પટ્ટી બાંધી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. ચોથા તબક્કામાં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. આટલી બધી વાર રજૂઆત છતાંય શિક્ષકોની માગ સ્વીકારાઈ ન હતી જેને લઈ શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!