Sikkim CloudBurst : વાદળ ફાટવાથી આવેલી તબાહીમાંં તણાઈ આટલી જીંદગી, સેનાના જવાનો હજી પણ લાપતા, જાણો લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-10-05 11:46:35

સિક્કિમ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. વાદળ ફાટવાને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો હજી સુધી લાપતા છે. એમાં સેનાના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ કુદરતી આફતમાં કુલ  14 લોકોના મોત થયા છે જ્યારે 102 જેટલા લોકો લાપતા છે અને આ આંકડામાં 22 જવાનો પણ સામેલ છે. તમામ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વાદળ ફાટવાને કારણે તીસ્તી નદીમાં પૂર આવ્યું અને આ પુર આર્મી કેમ્પ સુધી પહોંચી ગયું. આ પૂરમાં 41 જેટલી ગાડીઓ પણ ડૂબી ગઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કુદરતી આફતમાં 15 હજાર જેટલા લોકો પ્રભાવિત થયા છે. 

22 જવાનો થયા હતા લાપતા 

કુદરત આગળ બધા લોકો લાચાર છે તેવું આપણે ત્યાં કહેવાય છે. ત્યારે અનેક જગ્યાઓ પર કુદરતી આફતે તારાજી સર્જી છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં કુદરતે તારાજી સર્જી હતી. ત્યારે હવે વારો સિક્કિમ હોય તેવું લાગી રહ્યું છે, ગઈકાલે અચાનક સિક્કિમમાં વાદળ ફાટ્યાની ઘટના સામે આવી. ઉત્તરી વિસ્તારમાં આવેલા લહોનક ઝીલ પાસે વાદળ ફાટ્યું જેને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું. અચાનક નદીમાં પૂર આવવાને કારણે નદીનું પારી જમીની વિસ્તારમાં આવી ગયું. જ્યાં આર્મી જવાનોનો કેમ્પ હતો ત્યાં પણ અચાનક પાણી આવી ગયું હતું. જેમાં 22 જવાનો લાપતા થઈ ગયા હતા.  ઉપરાંત અનેક લોકોના મોત થઈ ગયા છે.   

फ्लैश फ्लड की वजह से तीस्ता नदी का जलस्तर 20 फीट तक बढ़ गया है।


અનેક જિલ્લાઓમાં 8 ઓક્ટોબર સુધી બંધ રહેશે સ્કૂલો    

પીટીઆઈના અહેવાલ મુજબ, ત્યાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ નાગરિક તરીકે કરવામાં આવી છે, જેમાંથી 3 લોકોના મોત ઉત્તર બંગાળમાં થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પૂરને કારણે દેશના વિવિધ ભાગોમાંથી 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા હોવાની માહિતી પણ સામે આવી છે.  અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 166 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં સેનાનો એક જવાન પણ સામેલ છે. રાજ્ય સરકારે સિંગતમ, રંગપો, દિકચુ અને આદર્શ ગામોમાં બેઘર લોકો માટે 18 રાહત શિબિરોની સ્થાપના કરી છે. શિક્ષણ વિભાગે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં સ્થિત તમામ શાળાઓ 8 ઓક્ટોબર સુધી બંધ રહેશે.


પીએમ મોદીએ સીએમ સાથે કરી વાત 

સિક્કિમમાં બગડતા હાલતને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું કે સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગ સાથે વાત કરી અને રાજ્યના કેટલાક ભાગોમાં દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આપત્તિના પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સિક્કિમના મુખ્યમંત્રીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હોય તેવી માહિતી સામે આવી હતી. 


સિક્કિમમાં અચાનક ફાટ્યું હતું વાદળ 

સિક્કિમમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ ત્રીજી અને ચોથી ઓક્ટોબરે સવારે આઠ વાગ્યાની આસપાસ લગભગ 41 મિમી વરસાદ થયો હતો. જે સામાન્ય વરસાદ કરતા વધારે હતી. સામાન્ય કરતા અનેક ગણો વધારે થોડા સમયની અંદર વરસી ગયો હતો. ત્યારે 4 ઓક્ટોબરના રોજ વાદળ ફાટવાની ઘટના બની જેને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું.  


सिंगतम में घर-दुकानों के अंदर बाढ़ का मलबा भर गया है।

सिक्किम को देश से जोड़ने वाला NH-10 हाईवे टूट गया है।


Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .