સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાનો વિવાદ વકર્યો, SPGના પ્રમુખ લાલજી પટેલે કર્યું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-12-25 19:03:03

સૌરાષ્ટ્રના સિદસર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. નકલી ટોલનાકા કાંડમાં ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીભાઈનું નામ આવતા રાજીનામાની માગ બુલંદ બની છે. આ મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે. તો બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવું નિવેદન આપ્યું છે.


મનોજ પનારાએ આપી ચીમકી


રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં સમાજની બદનામી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને સિદસર સ્થિત ઉમિયાધામની બેઠક કે જે 6 જાન્યુઆરીના રોજ મળવાની છે. જેમાં પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામુ આપે તેવી ચર્ચા ચાલી રહી છે. જેને ધ્યાને લઈને આજની બેઠકમાં આંદોલનના કાર્યક્રમ પર હાલ પુરતી રોક મુકવામાં આવી છે. જો તે રાજીનામુ નહીં આપે તો સૌરાષ્ટ્રના 22 તાલુકામાં બેઠક યોજાશે. સાથે જ જેરામ પટેલના રાજીનામાને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવશે. રાજીનામુ નહીં આપે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેરામ પટેલના   કાર્યકાળના 13 વર્ષનો હિસાબ ચેરીટી કમિશનર પાસે માંગવામાં આવશે. આવનાર પ્રમુખ સમાજ માટે ટાઈમ,ટિકિટ અને ટિફિન પોતાના ખિસ્સામાંથી ખર્ચી શકે તેવી અપેક્ષા છે. બીજી તરફ લાલજી પટેલે કહ્યું કે જેરામ પટેલના પુત્ર ટોલનાકા કૌભાંડમાં સંડોવાયેલો છે તેમાં પિતાનો શું વાંક ? તેમને સમાજે સજા ન કરવી જોઇએ.


SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનુ સમર્થન 


જેરામ પટેલના રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ સામસામા આવી ગયા છે. મનોજ પનારા જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે, બીજી તરફ SPGના પ્રમુખ લાલજી પટેલે જેરામ પટેલનું સમર્થન કરી રાજીનામાની વાતને વખોડીને દીકરાની ભૂલ પિતા શા માટે ભોગવે તેવો સવાલ ઉઠાવી ગણતરીના લોકોનો વિરોધ ચાલી ન શકે તેવું નિવેદન કર્યું હતું, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.