પંજાબની જેલમાં ગેંગવોર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું મોત


  • Published By :
  • Published Date : 2023-02-26 19:52:34

પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બે આરોપીઓનું જેલમાં જ મોત થતા સનસનાટી મચી ગઈ છે. પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આરોપીઓ વચ્ચે લોહીયાળ ગેંગવોર થયું હતું. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપીઓ પૈકી મનદીપ તુફાન, મનમોહન સિંહ અને કેશવ વચ્ચે રવિવારે સાંજે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન માર્યા ગયા છે. જ્યારે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, હાલ ઘાયલ આરોપીની અમૃતસરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


જેલમાં ગેંગવોર ફાટી નિકળ્યું 


ડીએસપી જસપાલ સિંહના જણાવ્યા પ્રમાણે પંજાબના તરનતારનની ગોઇંદવાલ સાહિબ જેલમાં આજે રવિવારે બપોરે અચાનક જ ગેંગવોર ફાટી નિકળ્યું હતું. જેમાં બે લોકોના મોત થયા છે. જેલમાં બદમાશોની બે ટોળકી વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં મનદીપ સિંહ તુફાન અને મનમોહન સિંહ માર્યા ગયા હતા. ત્રીજો ગેંગસ્ટર કેશવ જે ભટિંડાનો રહેવાસી છે ગંભીર રીતે ઘાયલ થયો છે.  


ઘાયલ કેશવની મુન્દ્રાથી ધરપકડ 


અત્રે ઉલ્લેખનિય છે કે ગેંગવોરમાં ઘાયલ થયેલા કેશવને ગુજરાતના મુન્દ્રાથી દિલ્હી પોલીસ વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, મૃતક ગેંગસ્ટર મોહન સિંહ પર મૂસેવાલાની હત્યા પહેલા રેકી કરવાનો આરોપ હતો અને તે મનસાનો રહેવાસી હતો. તો, મનદીપ તુફાનને સિદ્ધુ મૂસેવાલાની હત્યાના બેકઅપ સૂટર તરીકે રાખવામાં આવ્યો હતો. આ આરોપીઓની પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


મામલો શું હતો?


પંજાબના જાણીતા સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ કે જેઓ સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતો હતો. તેની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.