સિધ્ધાર્થ અને કિયારા સાત જન્મોના અતૂટ બંધનથી બંધાયા, આ સેલેબ્સ હાજર રહ્યા


  • Published By :
  • Published Date : 2023-02-07 19:06:28

બોલિવુડ અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા છે. આજે 7 ફેબ્રુઆરીએ બંનેએ સાત વચનો સાથે તમામ રીત-રિવાજો વિધિવત રીતે પુરા કર્યા છે. સિધ્ધાર્થ અને કિયારાના આ લગ્ન પરંપરાગત પંજાબી વિધિ પ્રમાણે થઈ હતી. આ ગ્રાંડ વેડિંગમાં બંનેના પરિવારજનો અને નજીકના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સિડ અને કિયારા સાત જન્મોના સાથી બની ગયા છે. 


જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન


રાજસ્થાનના સૂર્યગઢના પેલેસમાં બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. વરરાજા સિધ્ધાર્થ ઘોડા પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સિધ્ધાર્થ ઘોડા પર બેસીને આવ્યો ત્યારે બોલિવુડ ગીત સાજનજી ઘર આયેની ધુનથી માહોલ ગાંજી ઉઠ્યો હતો. લગ્ન માટે સૂર્યગઢ પેલેસને પણ નવવધુની જેમ સજાવવામાં આવ્યો હતો, રાત્રીના અંધકારમાં આ વિશાળ મહેલનો મનમોહક નજારો જોવા જેવો હતો. 


આ સેલેબ્સ ઉપસ્થિત રહ્યા?


સિધ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો ઉપસ્થિત રહ્ય હતા, નજીકના મિત્રો અને પરિવારજનો ઉપરાંત બોલિવુડ કલાકારોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં સોનાક્ષી સિંહા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા, મલાઈકા અરોરા, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, કરણ જોહર, ફિલ્મ પ્રોડ્યુસર આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી, ફિલ્મ ડાયરેક્ટર શકુન બત્રા અને મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. 


મહેમાનોએ વિવિધ વાનગીઓની મજા માણી 


સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના આ લગ્નમાં મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવી હતી. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા હતાં. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ હતું. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી પણ હતાં. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી હતી, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે-ભટૂરે સામેલ હતાં. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી હતી.




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.