જૈસલમેરના આલિશાન પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા બંધાશે લગ્નના બંધનમાં, અનેક મહેમાનોને અપાયું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-02-02 16:07:31

ફેબ્રુઆરી મહિનામાં વધુ એક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાવાના છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા એક પેલેસ ખાતે લગ્નનો ભવ્ય સમારોહ યોજાવાનો છે. લગ્નને લઈ અનેક વખત તેઓ સાથે જોવા મળતા હતા પરંતુ લગ્નને લઈ તેમણે કોઈ વાત  કરી ન હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈ ચર્ચઓ ચાલી રહી છે. 

Sidharth Malhotra, Kiara Advani Wedding To Take Place In Rajasthan In  February Says Report | Sidharth Kiara Marriage: સિદ્ધાર્થ અને કિયારા આ  દિવસે કરશે લગ્ન, તારીખ અને સ્થળની માહિતી આવી સામે

લગ્નના બંધનમાં બંધાશે કિયારા અને સિદ્ધાર્થ! 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્ન કરી રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવરફુલ કપલ સાત ફેરા લેવાની છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા પેલેસ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે. મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાડીઓ તેમજ રૂમો બુક કરવામાં આવ્યા છે. 


અલગ અલગ ક્ષેત્રોના લોકોને અપાયુ છે આમંત્રણ  

આ વિવાહ સમારોહમાં અનેક મોટી હસ્તીઓ મહેમાન બનવાના છે. જેમાં બોલિવુડથી લઈ અનેક ફિલ્ડના લોકોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન, કરણ જોહર સહિતના અનેક કલાકારો આ લગ્નમાં ભાગ લેવાના છે. તે સિવાય ઈશા અંબાણી સહિતના લોકો પણ આ લગ્નમાં ભાગ લેવાના છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ સામેલ થવાના છે. તે સિવાય તેમના જૂના મિત્રો પણ સામેલ થવાના છે. મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ અને કિયારાના પ્રી-વેડિંગ ફન્શન ચાર અને પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે. જેસેલમેરમાં લગ્ન બાદ મુંબઈ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે