જીમમાં વર્કઆઉટ કરતી વખતે 'કસૌટી જિંદગી કી' ફેમ સિદ્ધાંત સૂર્યવંશીનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-11 17:44:21

ટેલિવિઝન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ વર્કઆઉટ દરમિયાન સિદ્ધાંતનું મોત થયું હતું. અભિનેતા માત્ર 46 વર્ષનો હતો અને ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યો હતો. સિદ્ધાંત વીર સૂર્યવંશીનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે આઘાતજનક સમાચાર છે. તેઓ લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ઘણા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા.

આ સીરિયલોમાં જોવા મળ્યો હતો સિદ્ધાંત

સિદ્ધાંતે થોડા સમય પહેલા જ પોતાનું નામ આનંદ સૂર્યવંશી (Anand Surryavanshi)માંથી બદલીને સિદ્ધાંત વીર સૂર્યવંશી કર્યું હતું. સિદ્ધાંતે સીરિયલ 'કુસુમ' દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે 'કૃષ્ણા અર્જુન', 'કસૌટી જિંદગી કી', 'ઝમીન સે આસમાન તક', 'વિરુદ્ધ', 'ભાગ્યવિધાતા', 'ક્યા દિલ મેં હૈ' વગેરે જેવી સીરિયલોમાં જોવા મળ્યો હતો. તેણે સીરિયલ 'ગૃહસ્થી'માં ઋષિનો લીડ રોલ કર્યો હતો.

TV actor Siddhant Suryavanshi (Kasauti Zindagi Ki Fame) Dies Of A Heart  Attack in Gym, - The National Bulletin

મળતી માહિતી મુજબ, જ્યારે સિદ્ધાંત સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે