આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ, લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર સજ્જ


  • Published By :
  • Published Date : 2024-02-12 21:23:32

રાજ્ય અને દેશના લાખો માઈ ભક્તોની આખા વર્ષ દરમિયાન જેની કાગડોળે રાહ જોતા હોય છે તે અંબાજી ખાતે યોજાતા 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. આજથી 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી એમ 5 દિવસ સુધી લાખો શ્રધ્ધાળુઓ અંબાજીના ગબ્બરની પરિક્રમા કરશે. આસ્થાના કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહા મેળા બાદ મિનિ મહા કુંભ સમાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાય છે. 


સાંસદ પરબતભાઈ પટેલે કરાવ્યો શુભારંભ


પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો  શુભારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠનાં દર્શનનો લાભ મળશે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ-નગરા વગાડી નૃત્ય કર્યાં હતા. આજે પ્રથમ દિવસે પાલકી યાત્રા અને શંખનાદ યાત્રા નીકળી હતી.  


5 દિવસ યોજાશે વિવિધ શોભાયાત્રા 


અંબાજીના ગબ્બર ખાતે આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયા બાદ સતત પાંચ દિવસ સુધી અલગ અલગ દિવસે અલગ અલગ શોભાયાત્રા યોજાશે. મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે આજે 51 શક્તિપીઠની પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાથી મહોત્સવની શરૂઆત થઈ છે. ત્યારે આવતીકાલે બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા અંતિમ દિવસે દાતાઓ, યજમાનો તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે. આજથી આનંદ ગરબા મંડળ દ્વારા 24 કલાકની અખંડ ધૂન પણ શરૂ કરાઈ છે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંત્વની ત્રિવેદી હાજર રહેશે.


 શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર સજ્જ


આ 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજીના ગબ્બર ખાતે ઊમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. 


750 જેટલી બસો દોડાવવામાં આવશે


ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસ.ટી વિભાગની 750 જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવી રહી છે. જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં લાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાની 375, પાટણ જિલ્લાની 70, મહેસાણા જિલ્લાની 80, ગાંધીનગર જિલ્લાની 70 અને સાબરકાંઠા જિલ્લાની 70 અને અરવલ્લી જિલ્લાની 30 અને અમદાવાદ જિલ્લાની 55 એમ કુલ 750 બસો આ કાર્યક્રમમાં દોડશે. અંબાજી એસટી ડેપોની પણ 30 જેટલી બસો આ સમયગાળા દરમિયાન દોડશે. જેમાં દાંતા તાલુકાના ગામે ગામના લોકો આ પરિક્રમા મહોત્સવનો લાભ લઈ શકે તે માટે 30 જેટલી બસો દોડાવાશે. ગબ્બર તળેટીથી આરટીઓ ચેકપોસ્ટ સુધીનો 3 કિ.મી.ના રસ્તા પર મીની બસો પણ દોડાવવામાં આવશે. પરિક્રમા મહોત્સવ દરમિયાન તમામ યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!