KKRના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની વાપસી, IPL 2024 સીઝનમાં ટીમનું કરશે નેતૃત્વ


  • Published By :
  • Published Date : 2023-12-14 15:48:30

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે થનારા ઓક્શન પહેલા કોલકાતા નાઈટરાઈડર્સે મોટા સમાચાર આપ્યા છે. ફ્રેન્ચાઈઝીના સીઈઓ વેંકી મૈસુરે મોટી જાહેરાત કરી છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અને ઉપ કપ્તાનના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રેયસ અય્યર આઈપીએલ 2024 માટે કેકેઆરના કેપ્ટન જ્યારે નીતીશ રાણા તેમના ડેપ્યુટી કેપ્ટન રહેશે.


શ્રેયસ ઐયરની KKRમાં વાપસી 


વેંકીએ જણાવ્યું કે વાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઘાયલ થવાના કારણે આઈપીએલ 2023 રમવાથી ચૂકી ગયા હતા. અમને આનંદ છે કે હવે તે પાછા આવી ગયા છે અને કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. જે પ્રકારે તેમણે ઘાયલ થવાથી ઉગરવા માટે ઘણી મહેનત કરી છે, જે ફોર્મમાં તે છે તે તેમના નેતૃત્વનો પુરાવો છે.ઉલ્લેખનિય છે કે આઈપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ શ્રેયસ અય્યર ઘાયલ થઈ ગયા હતા, અને તેમને સમગ્ર સીઝન માટે બહાર બેસવું પડ્યું હતું. તેમના સ્થાને ટીમનું નેતૃત્વ નીતીશ રાણાને સોંપવામાં આવી હતી.


શ્રેયસ અય્યરે શું કહ્યું?


શ્રેયસ ઐયરે ટીમમાં તેમની વાપસી અંગે કહ્યું કે ગત સીઝનમાં અમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમાં ઘાયલ થવાથી મારૂ ટીમ માટે નહીં રમવાનું પણ સામેલ છે. નીતીશે ટીમ માટે શાનદાર નેતૃત્વ કર્યું હતું, મને આનંદ છે કે કેકેઆરે તેમને ઉપકપ્તાન બનાવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે આ નેતૃત્વ ટીમને વધુ મજબુત બનાવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે