રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1,327 તબીબોની ઘટ, 546 ડોક્ટરોએ આપ્યું રાજીનામું, આ જિલ્લામાં સૌથી વધુ અછત


  • Published By :
  • Published Date : 2023-11-08 16:27:41

રાજ્યની સરકાર આરોગ્ય સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા માગે છે પણ વાસ્તવિક્તા એ છે કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત છે. મળતી વિગતો મુજબ રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની ઘટ છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 546 તબીબોએ રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં ક્લાસ-1 ડોક્ટરોની 637 જગ્યાઓ અને ક્લાસ-2ની 630 જગ્યા હાલ ખાલી છે, જેના કારણે ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી.  ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ પણ છેલ્લા ઘણા સમયથી ભરાઈ નથી.


દાહોદમાં તબીબોની સૌથી વધુ ઘટ


રાજ્યમાં ડોક્ટરોની ઘટ પર એક નજર કરીએ તો આદિવાસી જિલ્લાઓમાં સરકારી ડોક્ટરો નોકરી કરવા જ તૈયાર નથી. દાહોદ જિલ્લામાં સૌથી વધુ તબીબોની ઘટ છે. જિલ્લાના CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે. સરકારી ડોક્ટરોની ઘટ ઓછી કરવા માટે રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 2,653 જેટલા બોન્ડેડ ડોક્ટરોની નિમણૂંક કરી હતી. જો સરકારના આદેશ છતાં માત્ર 797 જેટલા તબીબો જ ફરજ પર હાજર થયા હતા. 


બોન્ડેડ ડોક્ટરોની બગાવત


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તબીબોની તીવ્ર અછત ધરાવતા અલગ-અલગ જિલ્લાઓમાં 2,653 બોન્ડેડ તબીબોને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે રાજ્ય સરકારના હુકમની ઐસીતૈસી કરતા 546 તબીબોએ તેમની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવવા પણ તૈયાર થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે મેડિકલનો અભ્યાસ કરતા 546 તબીબોએ 5 લાખની બોન્ડ રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. જ્યારે 1,310 તબીબો એવા છે કે જેમણે નોકરી પણ નથી સ્વિકારી અને બોન્ડ પણ ભર્યા નથી. હવે રાજ્ય સરકાર આ તબીબો સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!