બે શાળાઓમાં થઈ ગોળીબારી, ઘટનામાં 3ના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:03:51

બ્રાજિલની સ્કુલમાં ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારના દિવસે બ્રાજિલની બે શાળાઓમાં ફાયરિંગ થયું હતું. દક્ષિણપૂર્વીય વિસ્તારમાં આવેલી બે સ્કુલોમાં નકાબ પહેરા લોકો ઘૂસી આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 11 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે વિદ્યાર્થીઓ છે જ્યારે એક શિક્ષક છે. 


Brazil school shooting: At least 3 dead and 11 injured | CNN

Brazil school shooting: At least 3 dead and 11 injured | CNN

Brazil Mass Shooting: 3 killed, over dozen injured as gunman attacks 2  Brazil schools

સ્થાનિક મીડિયા અનુસાર બુલેટપ્રુફ જેકેટ પહેરી શાળામાં ઘૂસી આવ્યા હતા અને ગોળીબારી કરી હતી. 2 સ્કુલોમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ બંને હુમલા એસ્પિરરિટો સેન્ટો રાજ્યની રાજધાની વિટોરીયાથી થોડા કિલોમીટર દૂર આવેલી શાળામાં આ ગોળીબાર થયો છે. સુરક્ષા સચિવાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોળીબાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને એક ખાનગી શાળા પર થયો હતો. પોલીસે આ ગોળીબાર કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.      




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.