કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું પૂર્ણ થયું શૂટિંગ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો


  • Published By :
  • Published Date : 2023-01-21 16:20:55

પોતાના નિવેદનને કારણે કંગના રનૌત હમેશા વિવાદોમાં રહેતી હોય છે. પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા છે. સાથે સાથે ઈમોશનલ નોટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે ફિલ્મ માટે તેમણે બધી સંપત્તિ ગીરવે મૂકી દીધી હતી.

  

સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે આજે એક એક્ટર તરીકે ઈમરજન્સી ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરી લીધું છે. મને મહેસુસ થયું કે આ મારા જીવનના સૌથી સારા પળો હતા જે આજે પૂરા થયા છે. લોકોને લાગે આ એકદમ સરળતાથી થઈ ગયું પરંતુ હકીકતમાં વાસ્તવીક્તા એકદમ અલગ છે. આ ફિલ્મનું શુટિંગ કરવા મેં મારી બધી જમીન ગીરવે મૂકી દીધી હતી.  


મણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ બની છે ફિલ્મ

પોતાની પોસ્ટમાં કંગનાએ સમગ્ર કાસ્ટ અને ક્રૂનો ફોયો શેર કર્યો હતો અને તમામનો આભાર માન્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે જેઓ મારી કાળજી કરે છે, હું તમને જણાવી દઉં કે હું અત્યારે સુરક્ષિત જગ્યા પર છું. મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે. આ ફિલ્મમાં કંગના ન કેવળ અદાકારા છે પરંતુ ફિલ્મનું ડાયરેક્શન પણ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયલોગ રિતેશ શાહે લખ્યા છે. આ ફિલ્મ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મસના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે