ચૂંટણી પ્રતિક માટેની લડાઈનો અંત, એકનાથ શિંદેને મળ્યું તલવાર-ઢાલનું નવું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 19:03:33

શિવસેનાના ધનુષ અને તીરના ચૂંટણી પ્રતીક માટે લડી રહેલા ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચેનો ગજગ્રાહ હવે શાંત પડતો જણાઈ રહ્યો છે. ચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન જારી કર્યું છે. પંચે શિંદે જૂથને બે તલવારો અને એક ઢાલનું પ્રતીક ફાળવી આપ્યું છે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને ટોર્ચનું નિશાન ફાળવી આપ્યું હતું તે ઉપરાંત ઉદ્ધવને પાર્ટીનું નવું નામ પણ મળ્યું હતું. ચૂંટણી પંચે ઉદ્ધવને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની પણ મંજૂરી આપી છે. 



જુના ચૂંટણી પ્રતિક 'ધનુષ-બાણ'નું શું થશે?


શિવસેના પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. ચૂંટણી પંચે 3 નવેમ્બરે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ'ધનુષ-બાણ'નો ઉપયોગ કરવા પર બંને પક્ષોને પ્રતિબંધ લગાવ્યો હતો. હવે બંને જૂથને નવા ચૂંટણી પ્રતિક મળી ગયા છે અને પંચે એક ફાઈનલ નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. ત્યારે ઉદ્ધવ કે શિંદે બંને જૂથમાંથી હવે કોઈ પણ મૂળ શિવસેના અને તેના નિશાન ધનુષ-બાણ પર ચૂંટણી લડી શકશે નહીં. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.