ચૂંટણી પંચના નિર્ણય સામે ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કાલે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-20 20:12:36

ચૂંટણી પંચના નિર્ણય બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથેની બેઠક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસેથી બધું જ છીનવી લેવામાં આવ્યું છે. અમારી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવામાં આવ્યું છે, પરંતુ ઠાકરે નામ છીનવી શકતા નથી. ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, આવતીકાલથી સુનાવણી શરૂ થશે.


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમમાં કરી અરજી


ઉદ્ધવ ઠાકરેના જૂથે સોમવારે (20 ફેબ્રુઆરી, 2023) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ 'શિવસેના' અને ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.


ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું કે ચૂંટણી પંચે અમારી દલીલોને સંપૂર્ણપણે અવગણી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું છે. ECI દ્વારા આ મુદ્દા પર નિર્ણય લેવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા છે. જોકે, આ મામલે ક્યારે સુનાવણી થશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.


એકનાથ શિંદે જુથે કરી કેવિયેટ


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તો વિરોધી એકનાથ શિંદે જુથે પણ પણ એક કેવિયેટ દાખલ કરી દીધી છે.  આ કેવિયેટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ચૂંટણી પંચના નિર્ણયને ઉધ્ધવ જુથ પડકારે છે તો કોર્ટ તેમના વલણને પણ સાંભળે અને કોઈ એકપક્ષીય ચુકાદો ન આપે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.