અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની જાહેરમાં ગોળી મારીને હત્યા, સમગ્ર શહેરમાં સન્નાટો


  • Published By :
  • Published Date : 2022-11-04 17:17:05

પંજાબના અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે તેમને ગોળી વાગી ત્યારે સુરી મંદિરની બહાર ધરણા કરી રહ્યા હતા. સુધીર સૂરી ગોપાલ મંદિરની બહાર કચરામાં ભગવાનની મૂર્તિઓ મેળવવા માટે અહીં ધરણા પર બેઠા હતા. આ દરમિયાન ભીડમાં કોઈએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.  પોલીસે નાકાબંધી કરીને શૂટર સંદીપ સિંહની ધરપકડ કરી લીધી છે.


સુધીર સૂરીનું હોસ્પિટલમાં થયું મોત


ફાયરિંગ પછી સુધીર સૂરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને જો કે ત્યાં જ તેમનું મોત થયું હતું. હાલ પોલીસે હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી શરૂ કરી દીધી છે અને એવુ જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુધીર સૂરી પર હુમલો કરવાની યોજના ઘડવામાં આવી હતી અને પોલીસે ગયા મહિને કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી.


દિવાળી પહેલા જ હુમલાની યોજના હતી


પંજાબમાં એસટીએફ અને અમૃતસર પોલીસે ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ જોઇન્ટ ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી અને ધરપકડ કરાયેલ ગેંગસ્ટરો રિંદા અને લિંડાના ગુંડા હતા, એમની સાથે પૂછપરછમાં સામે આવ્યું હતું કે ધરપકડ કરાયેલા ગેંગસ્ટર શિવસેનાના નેતા સુધીર સૂરી પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને આ માટે એમને રેકી પણ કરી હતી. તેઓ આ કામ પૂરું કરે તે પહેલા જ પોલીસ અને એસટીએફે ચારેયને પકડી લીધા હતા. આ ઉપરાંત આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે સૂરી પર હુમલો દિવાળી પહેલા કરવાનો હતો પણ આ ગુંડાઓની ધરપકડથી પંજાબમાં મોટી ઘટના ટળી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.