શિન્ઝો આબેનું રાજકીય અંતિમ સંસ્કાર.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:11:13

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું આજે રાજકીય સન્માન સાથે સ્ટેટ ફ્યુનરલ ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. અહી ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી સહિતના 700થી વધુ નેતાઓએ તેમને  શ્રદ્ધાંજલિ આપી હતી . શિન્ઝો આબેને 19 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આબેની 8 જુલાઈએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યૂ હતું. ભારતના વડાપ્રધાન મોદી સહિતના 217 જેટલા દેશના પ્રતિનિધિઑ ગઈકાલ રાતે એટલે 26 સપ્ટેમ્બર જાપાન પોહચી ગયા હતા .

 

8 જુલાઇએ થઈ હતી હત્યા.

 આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિન્ઝોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે આજે કરવામાં આવેલ સ્ટેટ ફ્યૂનરલ પ્રતીકાત્મક છે.

 

કોને આપી શ્રદ્ધાંજલિ ?

નેતાઓ તથા જાપાનના શાહી પરિવારએ આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. કુડાન્ઝાકા પાર્ક ખાતે સામાન્ય લોકો પણ આબેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શિન્ઝો આબેના અવશેષોના વિદાય સાથે સ્ટેટ ફ્યૂનરલ સેરેમનીનું સમાપન થયું હતુ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.