શિંદે જૂથ પાસે રહેશે શિવસેનાનું નામ અને ધનુષ-બાણનો પ્રતીક, ઉદ્ધવે શિવસેનાની સંપત્તિને છોડવી પડશે?


  • Published By :
  • Published Date : 2023-02-18 10:35:24

છેલ્લા લાંબા સમયથી મહારાષ્ટ્રમાં શિવસેના પક્ષના નામને લઈ અને ચૂંટણી ચિન્હને લઈ ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ શિંદે વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ ચૂંટણીપંચે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે સ્વીકારી લીધું છે ઉપરાંત શિવસેનાના પ્રતીકનો ઉપયોગ કરવાની પણ અનૂમતી આપી છે. આ નિર્ણયને એકનાથ શિંદેના જૂથે સ્વીકાર્યો છે જ્યારે ઠાકરે જૂથ આ નિર્ણયને લઈ અસહેમત છે.

Uddhav Thackeray Loses Name, Symbol Of Shiv Sena Founded By Father

ધનુષબાણનું ચિહ્ન શિંદે જૂથને મળ્યું 

આ અંગે ચૂંટણીપંચને જાણવા મળ્યું હતું કે શિવસેનાનું હાલનું બંધારણ અલોકતાંત્રિક છે. ઠાકરે જૂથની પાર્ટીમાં કોઈ પણ જાતની ચૂંટણી વિના લોકોની નિમણૂંક કરવામાં આવી હતી. શિવસેનાના મૂળ બંધારણમાં અલોકતાંત્રિક પદ્ધતિઓને ગુપ્ત રીતે પાછી ખેચી લેવામાં આવી છે. આ કારણે ખાનગી જાગીર જેવી બની ગઈ હતી. આ પદ્ધતિને ચૂંટણીપંચ વર્ષ 1999માં અમાન્ય કરી ચૂકી છે. ચૂંટણી પંચના આ નિર્ણયથી શિવસેના પર ઉદ્ધવ ઠાકરે જૂથની દાવેદારી સમાપ્ત થઈ ગઈ છે.


એકનાથ શિંદે તેમજ દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા 

ચૂંટણીપંચના આ નિર્ણયને એકનાથ શિંદેએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ દેશ બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણ પર ચાલે છે. અમે બંધારણના આધારે અમારી સરકાર બનાવી છે. જે આદેશ ચૂંટણીપંચે આપ્યો છે તે યોગ્યતાના આધારે આપ્યો છે. હું ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કરુ છું. તે સિવાય મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સીએમ એકનાથ શિંદેની શિવસેનાને શિવસેનાનું પ્રતીક અને નામ મળ્યું છે. અસલી શિવસેના એકનાથ શિંદેની શિવસેના બની છે. 

Uddhav Thackeray first reaction on EC decision election symbol and Shiv  Sena, attacks PM Modi | 'मोदी लाल किले से ऐलान कर दें कि...', शिवसेना का  नाम-निशान खोने के बाद उद्धव ने

શું શિવસેનાની સંપત્તિ પરથી હાથ ધોવો પડશે ઉદ્ધવ ઠાકરેને?

આ નિર્ણયને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની બધી સંપત્તિ પરથી હાથ ધોવો પડશે. એડીઆરના આંકડા અનુસાર 2019-20માં શિવસેનાની પાસે 148.46 કરોડ જેટલાની એફડી અને 186 કરોડ જેટલી સંપત્તિ હતી. શિંદે જૂથ પાસે આ સંપત્તિ આવી જશે. મળતી માહિતી અનુસાર બાલા સાહેબે પોતાની વસીહતમાં મુંબઈ ખાતે સ્થિત માતોશ્રીના ત્રણ માળના ભવનનો પહેલા માળ જયદેવના નામે તેમજ બીજો અને ત્રીજો માળ ઉદ્ધવના નામે કર્યું હતું પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર શિવસેના માટે રાખ્યું હતું. હવે ગ્રાઉન્ડ ફ્લોર પરનો માલિકીનો હક ઉદ્ધવ પાસેથી જતો રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.    


આ નિર્ણય લોકતંત્ર માટે ઘાતક છે - ઉદ્ધવ ઠાકરે 

ચૂંટણીપંચના આ નિર્ણય પર ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે. પાર્ટી કોની છે, આ ચૂંટાયેલા લોકો નક્કી કરશે તો સંગઠનનો મતલબ શું રહેશે. ચૂંટણીપંચના આ નિર્ણય લોકતંત્ર માટે ઘાતક છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. દેશમાં સરકારની દાદાગીરી ચાલી રહી છે. હિમ્મત હોય તો ચૂંટણીમેદાનમાં આવો અને ચૂંટણી લડો. ત્યાં જનતા બતાવી દેશે કે અસલી કોણ છે અને નકલી કોણ છે. 


દેશ તાનાશાહી તરફ અગ્રેસર - સંજય રાઉત 

તે ઉપરાંત સંજય રાઉતે ટ્વિટ કરી કહ્યું કે આની સ્ક્રીપચ પહેલેથી તૈયાર હતી. દેશ તાનાશાહી તરફ વધી રહ્યું છે. કહેવામાં આવ્યું હતું કે ફેસલો અમારા પક્ષમાં આવશે, પરંતુ હવે એક ચમત્કાર થયો છે. ઉપરથી નીચે સુધી પાણીની માફક કરોડો રૂપિયા વહાવ્યા છે. પરંતુ અમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જનતા અમારી સાથે છે.અને જનતાના દરબારમાં નવું પ્રતીક લઈને જઈશું અને ફરીથી શિવસેના ઉભી કરીને બતાવીશું, આ લોકતંત્રની હત્યા છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!