Gandhinagar ખાતે 'શિક્ષણ બચાવો ધરણા', જ્ઞાન સહાયક રદ્દ કરાવવા Congress મેદાને! કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ


  • Published By :
  • Published Date : 2023-10-06 12:52:11

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરવાના છે. શિક્ષણ બચાવો ધરણાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. શિક્ષણમાં થઈ રહ્યું ખાનગીકરણ તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે.  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ ધરણામાં જોડાયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આ ધરણામાં જોડાયા છે. 

 

Image

ધરણા કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ જાડેજા

ગુજરાતનું શિક્ષણ પ્રતિદિન લથડી રહ્યું છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ નથી મળી રહ્યું. અનેક એવા વીડિયો આપણી સામે અવાર-નવાર સામે આવતા હોય છે જેને જોઈ આપણને બાળકો પર દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં લથડતા શિક્ષણ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આજે ધરણા કરવામાં આવ્યા છે. આ ધરણામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા છે. યુવરાજસિંહ અનેક વખત ઉમેદવારોના સમર્થનમાં દેખાયા છે. ટેટ ટાટના ઉમેદવારો સાથે યુવરાજસિંહ ગાંધી બાપુને પત્ર આપવા ગયા હતા.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.