'ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને 1 કરોડ જીતો'-'ધ કેરાલા સ્ટોરી' મુદ્દે શશિ થરૂરે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-05-01 22:18:49

ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે. જ્યાં કેરળની ડાબેરી સરકારે આ ફિલ્મને સંઘ અને બીજેપીનો પ્રચાર ગણાવ્યો છે ત્યાં કોંગ્રેસ પણ ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત પ્રતિક્રિયા આપી રહી છે. આ મામલે તાજેતરમાં જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક પોસ્ટ શેર કરતા કોંગ્રેસના નેતાએ લખ્યું કે આ તમારા કેરળની વાર્તા હોઈ શકે છે, પણ આ અમારા કેરળની વાર્તા નથી. જો કે હવે શશિ થરૂરે આ ફિલ્મને લઈને વધુ એક ટ્વિટ કર્યું છે. તેમણે આ ફિલ્મને લઈને એક ચેલેન્જ આપી છે.


શશિ થરૂરે ટ્વિટ કરી આપી ચેલેન્જ 


કોંગ્રેસના નેતા શશિ થરૂરે ટ્વીટ કરતા કહ્યું કે ' માત્ર કેરળમાં જ 32,000 મહિલાઓના કથિત ધર્મ પરિવર્તનનો પ્રચાર કરનારાઓ માટે તેમનો દાવો સાબિત કરવા અને કેટલાક પૈસા કમાવવાની તક છે. શું તે ચેલેન્જ સ્વીકારવા તૈયાર થશે કે પછી કોઈ પુરાવા જ નથી કેમ કે કોઈ પુરાવા છે જ નહીં?


થરૂરની આ પોસ્ટ થઈ વાયરલ


આ સાથે જ થરૂરે એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે 'કેરળમાં 32000 મહિલાઓએ ઈસ્લામ સ્વીકાર્યો, આ દાવાને સાબિત કરવા માટે પુરાવા રજુ કરો અને એક કરોડ રૂપિયા લઈ જાઓ'.શશિ થરૂરે પોસ્ટમાં 'Not a Kerala story' હેશટેગ આપ્યું છે. શશિ થરૂરની આ પોસ્ટ અનુસાર, જે લોકો ચેલેન્જ સ્વીકારીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતવા માગે છે તેઓ 4 મેના રોજ કેરળના દરેક જિલ્લામાં રાખવામાં આવેલા કાઉન્ટર પર પુરાવા જમા કરી શકે છે. શશિ થરૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.