અમેરિકામાં 2 બેંક ડૂબતા ભારતીય શેરબજાર ધરાશાયી, સેન્સેક્સ 897.28 અને 258.60 પોઈન્ટનો કડાકો


  • Published By :
  • Published Date : 2023-03-13 19:10:01

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી હતી, પરંતુ બપોર બાદ પાસા પલટાયા હતા. ભારે વેચવાલીના કારણે ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 897.28 પોઈન્ટના ઘટાડા સાથે 58,237.85 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 258.60 પોઈન્ટ ઘટીને 17154.30ની સપાટીએ પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ડસઇન્ડના શેરમાં સૌથી વધુ લગભગ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


અમેરિકાની બેંકો તુટતા રોકાણકારો નિરાશ


સિલિકોન વેલી બેંક (SVB) અને પછી સિગ્નેચર બેંકેના પતનના કારણે રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે. રોકાણકારો અમેરિકન બેંકોની નાણાકીય સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. તેની અસર ભારતીય બેંકિંગ શેરો પર જોવા મળી છે. સોમવારે પ્રાઈવેટ અને સરકારી બંને બેંકોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. SVBના ડૂબવાની અસર યુરોપિયન શેરબજાર પર પણ જોવા મળી છે.


સરકારી અને પ્રાઈવેટ બેંકોના શેર તૂટ્યા


બજાર બંધ થતાં સમયે, તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી બેન્કમાં 2.39 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 2.56 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 2.91 ટકા અને નિફ્ટી મીડિયામાં 2.54 ટકા જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓટોમાં 2.27 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.92 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.24 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો.


રોકાણકારોના લગભગ 7.3 લાખ ડૂબ્યા


છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારના રોકાણકારોને લગભગ 7.3 લાખ કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન સેન્સેક્સ 2110 પોઈન્ટ સુધી તુટ્યો છે. માત્ર સોમવારે જ રોકાણકારોએ લગભગ 4 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 258.95 લાખ કરોડ થયું હતું. ગયા શુક્રવારે તે રૂ. 262.94 કરોડ હતું.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?