75 વર્ષે શરદ યાદવે લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંંજલિ


  • Published By :
  • Published Date : 2023-01-13 11:20:24

જેડીયુના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયું છે. આ અંગેની માહિતી તેમની પુત્રીએ ટ્વિટ કરીને આપી હતી. 75 વર્ષે ગુરૂગ્રામની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. થોડા કલાકો બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા. તેમના નિધનના સમાચાર આપતા તેમની પુત્રીએ લખ્યું કે પપ્પા નથી રહ્યા.


રાજકીય જગતમાં વ્યાપી શોકની લાગણી  

બિહારની રાજનીતિમાં શરદ યાદવ અલગ જ ઓળખ ઉભી કરી છે. નિતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ બંનેની સાથે રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ તબિયતને કારણે તેઓ રાજનીતિથી દુર થઈ ગયા હતા. તેમના નિધનના સમાચાર આવતા રાજનીતિ જગતમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. તેમના અંતિમ સંસ્કાર મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર સામે આવતા અનેક દિગ્ગજ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. 



અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે શરદ યાદવના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. લાંબા સમય સુધી તેઓ સાર્વજનિક જીવનમાં તેમણે પોતાને સાંસદ અને મંત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા.  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધનના સમાચાર સાંભળી ખુબ દુ:ખ થયું. શરદ યાદવ સાથે મારા ગહેરા સંબંધ હતા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. તે ઉપરાંત લાલુ યાદવ, રાષ્ટ્રપતિ, બિહારના ઉપમુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.