શરદ પવાર NCP પ્રમુખ પદ પર રહેશે યથાવત, કોર કમિટીના પ્રસ્તાવ બાદ રાજીનામું પાછું ખેંચ્યું


  • Published By :
  • Published Date : 2023-05-05 19:36:10

રાજકારણના અઠંગ ખેલાડી મનાતા NCP નેતા શરદ પવારે આખરે તેમનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે આજે શુક્રવાર 5 મેના રોજ સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ અગાઉ  NCPના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી પાર્ટીની કોર કમિટીએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.


પત્રકાર પરિષદમાં શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે રાજીનામું પાછું ખેંચવા મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે 'સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP અધ્યક્ષ પદ છોડવાનો મારો નિર્ણય પાછો ખેંચ્યો છે. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા હતા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ મને વિનંતી કરી હતી, જેમાં ઘણા રાષ્ટ્રીય પક્ષોના નેતાઓનો પણ સમાવેશ થાય છે.'


કમિટીએ  સર્વસંમતિથી રાજીનામું નામંજૂર કર્યું હતું 


આ જે સવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP)ની 18 સભ્યોની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NCP પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  NCPના નેતા અને ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો હતો. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે મીડિયાને જાણકારી આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.