NCPની કોર કમિટીએ શરદ પવારનું રાજીનામું ફગાવ્યું, પાર્ટી પ્રમુખ તરીકે યથાવત રહેવાની કરી વિનંતી


  • Published By :
  • Published Date : 2023-05-05 13:45:07

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP)ના પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું છે. મુંબઈમાં ચાલી રહેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે.  NCP નેતા પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો છે. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.


NCP ઉપાધ્યક્ષે આપી જાણકારી


NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે જાણકારી આપી હતી.તેમણે કહ્યું કે શરદ પવારે 2 મેના રોજ અચાનક જ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. તેમના આ નિર્ણય અમને પણ આશ્ચર્ય થયું હતું. જો કે આ જે અમે આ મુદ્દે બેઠક યોજીને પવાર સાહેબને વિનંતી કરી હતી કે તે તેમનો કાર્યકાળ પૂરો કરે. 


સર્વસંમતિથી રાજીનામું નામંજૂર


પ્રફુલ્લ પટેલે કહ્યું કે પવાર સાહેબે અમને જાણ કર્યા વિના જ નિર્ણય લઈ લીધો હતો. પક્ષના કાર્યકરો અને નેતાઓની તમામ માંગણીઓને ધ્યાનમાં લઈને આજે અમે બેઠક યોજી હતી અને સમિતિએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. સમિતિ સર્વસંમતિથી આ રાજીનામું નામંજૂર કર્યું છે અને અમે તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહેવા અને તેમની ફરજો અને જવાબદારીઓ નિભાવવાની વિનંતી કરીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.