NCP પ્રમુખ શરદ પવારના રાજીનામાના નિર્ણય મુદ્દે પ્રફુલ પટેલે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-03 20:24:22

શરદ પવારે NCP પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી ત્યારથી તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન, એનસીપી પ્રમુખના પદ પર નિર્ણય લેવા માટે રચાયેલી પાર્ટીની સમિતિ પર, NCPના ઉપ પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે જો તે સમિતિની બેઠક બોલાવવાની જરૂર પડશે, તો અમે તમને આવતીકાલે જણાવીશું. તેમણે એમ પણ કહ્યું કે હું  NCP અધ્યક્ષ પદનો દાવેદાર નથી. NCP અધ્યક્ષ બનવામાં મને કોઈ રસ નથી.


પાર્ટીમાં કોઈ જુથવાદ નથી- પ્રફુલ પટેલ


પ્રફુલ પટેલને જ્યારે પુછવામાં આવ્યું કે શું પાર્ટીના આંતરિક રાજકારણના કારણે શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે? આ અંગે તેમણે જણાવ્યું કે પાર્ટી એકજુથ છે. પવાર સાહેબના સમર્થનમાં તમામ એક સાથે ઉભા છે. પાર્ટી એકજુથ જ રહેશે, હજુ સુધી કોઈ જુથ સામે આવ્યું નથી.


નવા અધ્યક્ષનો કોઈ સવાલ જ નથી


NCP ઉપાધ્યક્ષે કહ્યું કે જ્યાં સુધી શરદ પવારના રાજીનામા અંગે કોઈ આખરી નિર્ણય નથી આવી જતો ત્યા સુધી કોઈ બીજા અધ્યક્ષને લઈને કોઈ સવાલ જ નથી ઉઠતો. અંગત રીતે હું આ જવાબદારી માટે તૈયાર નથી. હું પહેલાથી જ પાર્ટીનો ઉપાધ્યક્ષ છું, આ ખુબ જ ગૌરવશાળી પદ છે. વળી મારા પર પહેલાથી જ ઘણી જવાબદારી છે. આ માટે મને પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવામાં કોઈ રસ નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.