ભત્રીજા અજીતના બળવા પર શરદ પવારનો હુંકાર, 'આવા બળવા મેં પહેલા પણ જોયા છે, પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ'


  • Published By :
  • Published Date : 2023-07-02 18:44:35

મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારને ટેકો આપવાનો સંકલ્પ લેતાં આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 9 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શરદ પવારનો પક્ષ છોડીને સરકારમાં સામેલ થવાના અજિત પવારના નિર્ણયને પવાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. શરદ પવારે આ સમગ્ર ઘટના પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પાર્ટીમાં બળવા અંગે પવારે કહ્યું કે અન્ય લોકો માટે તે નવું હશે પરંતુ મારા માટે તે કોઈ નવી બાબત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે "શું થયું તેની મને ચિંતા નથી. હું ફરીથી પાર્ટીને ઉભી કરીને તમને બતાવીશ".


શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે કહ્યું કે બે દિવસ પહેલા દેશના વડાપ્રધાને કહ્યું હતું કે NCP પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી છે. આ પ્રસંગે તેમણે સિંચાઈ કૌભાંડ અને શિખર બેંકનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આજે કેબિનેટમાં તેમણે NCPના નેતાઓને શપથ લેવડાવ્યા હતા. મતલબ કે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા નહોતા. તેમણે પક્ષ અને જેમની સામે આક્ષેપો કર્યા હતા તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હું મોદીનો આભાર માનું છું.


હું જ પાર્ટી છું-શરદ પવાર


શરદ પવારે વધુમાં કહ્યું કે હવે બીજો પ્રશ્ન... અમારા કેટલાક સાથીઓએ પાર્ટીના સ્ટેન્ડથી અલગ સ્ટેન્ડ લીધું છે. ગઈ કાલે મેં 6 જુલાઈએ પાર્ટીના કેટલાક અગ્રણી લોકોની બેઠક બોલાવવાની વાત કરી હતી. આ બેઠકમાં સંગઠનાત્મક ફેરફાર અંગે વિચારી રહ્યા હતા પરંતુ તે પહેલા પાર્ટીના કેટલાક સાથીઓએ અલગ વલણ અપનાવ્યું હતું. અમે સ્ટેન્ડ લીધું છે કે અમે જ પક્ષ છીએ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!