ભત્રીજા અજીતના બળવા પર શરદ પવારનો હુંકાર, 'આવા બળવા મેં પહેલા પણ જોયા છે, પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ'


  • Published By :
  • Published Date : 2023-07-02 18:44:35

મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારને ટેકો આપવાનો સંકલ્પ લેતાં આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 9 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શરદ પવારનો પક્ષ છોડીને સરકારમાં સામેલ થવાના અજિત પવારના નિર્ણયને પવાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. શરદ પવારે આ સમગ્ર ઘટના પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પાર્ટીમાં બળવા અંગે પવારે કહ્યું કે અન્ય લોકો માટે તે નવું હશે પરંતુ મારા માટે તે કોઈ નવી બાબત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે "શું થયું તેની મને ચિંતા નથી. હું ફરીથી પાર્ટીને ઉભી કરીને તમને બતાવીશ".


શરદ પવારે શું કહ્યું?


શરદ પવારે કહ્યું કે બે દિવસ પહેલા દેશના વડાપ્રધાને કહ્યું હતું કે NCP પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી છે. આ પ્રસંગે તેમણે સિંચાઈ કૌભાંડ અને શિખર બેંકનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આજે કેબિનેટમાં તેમણે NCPના નેતાઓને શપથ લેવડાવ્યા હતા. મતલબ કે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા નહોતા. તેમણે પક્ષ અને જેમની સામે આક્ષેપો કર્યા હતા તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હું મોદીનો આભાર માનું છું.


હું જ પાર્ટી છું-શરદ પવાર


શરદ પવારે વધુમાં કહ્યું કે હવે બીજો પ્રશ્ન... અમારા કેટલાક સાથીઓએ પાર્ટીના સ્ટેન્ડથી અલગ સ્ટેન્ડ લીધું છે. ગઈ કાલે મેં 6 જુલાઈએ પાર્ટીના કેટલાક અગ્રણી લોકોની બેઠક બોલાવવાની વાત કરી હતી. આ બેઠકમાં સંગઠનાત્મક ફેરફાર અંગે વિચારી રહ્યા હતા પરંતુ તે પહેલા પાર્ટીના કેટલાક સાથીઓએ અલગ વલણ અપનાવ્યું હતું. અમે સ્ટેન્ડ લીધું છે કે અમે જ પક્ષ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.