શરદ પવારનું ચોંકાવનારૂ નિવેદન, ભત્રીજા અજીતને ગણાવ્યા પોતાના નેતા-'NCPમાં કોઈ વિભાજન નથી'


  • Published By :
  • Published Date : 2023-08-25 11:34:28

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારની રાજનિતી સમજવી મુશ્કેલ છે. તેમણે વધુ એક રાજનૈતિક ગુગલી ફેંકી છે. જેના કારણે મહા વિકાસ અઘાડીમાં અસમંજસની સ્થિતી પેદા થઈ ગઈ છે. કાલ સુધી ભત્રીજા અજીત પવારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢનારા શરદ પવારે અચાનક જ વ્હાલ વરસાવતા લોકોને આશ્ચર્ય થયું છે. તેઓ બારામતીમાં હતા ત્યારે મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે ભત્રીજા અજીત પવારને તેમના નેતા ગણાવ્યા હતા અને એનસીપીમાં કોઈ ફૂટ હોવાનો ઈન્કાર કર્યો હતો. ખરેખર તો તેઓ તેમની પુત્રી સુપ્રીયા સુલેના તે નિવેદન અંગે પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે "અજીત દાદા અમારા નેતા છે."

 

શરદ પવારે શું કહ્યું?


નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારનું કહ્યું છે કે અજીત પવાર તેમના નેતા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે પાર્ટી તુટી હોવાનો પણ ઈન્કાર કર્યો છે. શરદ પવારે કહ્યું 'કોઈ પાર્ટી ત્યારે જ તુટી શકે છે, જ્યારે પાર્ટીનું એક મોટું ગ્રુપ રાષ્ટ્રીય સ્તર પર અલગ થઈ જાય છે. NCPમાં કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે તેને ફૂટ કહીં શકાય નહીં. તે લોકશાહીમાં આવું કરી શકે છે.' શરદ પવારે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે 'તેમણે ( અજીત પવારે) અલગ નિર્ણય કર્યો. તે કારણે એવું ન કહી શકાય કે  NCPમાં વિભાજન થયું છે.'  ઉલ્લેખનિય છે કે અગાઉ શરદ પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ 24 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર NCPના સિનિયર નેતા અને ધારાસભ્ય  છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.