12 દર્દીઓની આંખની રોશની છીનવી લેનારી અમરેલીની શાંતાબા હોસ્પિટલને 5 કરોડનો દંડ


  • Published By :
  • Published Date : 2023-07-25 22:29:58

અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી 12 દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી. આ ભયાનક લાપરવાહીના સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. જો કે હવે આ મામલે ગુજરાત સરકારે આકરૂ વલણ અપનાવતા હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. 5 કરોડનો દંડ ફટકાર્યો છે.આ સાથે જ સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ રુપિયા અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને પાંચ લાખ અને આ બેદરકારીનો ભોગ બનેલા અને સઘન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ  વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ માટે ઈન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. ત્યારબાદ સરકારે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


5 કરોડની ગ્રાન્ટ દંડ પેટે કપાશે


આ મામલે તપાસ કરવા રાજ્ય સરકારે નિષ્ણાતોની સમિતિની રચના થઈ હતી. તપાસ સમિતિના અહેવાલમાં પણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઈન્ફેક્શન કંટ્રોલ પોલિસી અંતર્ગત યોગ્ય પગલા પણ લેવાયા ન હતા.આ ઘટનાક્રમમાં સામેલ તબીબોની સામે મેડીકલ કાઉન્સીલ પણ પગલા ભરશે. ઉપરાંત હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોવાથી ચેરીટી કમિશ્નર પણ કાર્યવાહી કરશે. શાંતાબા મેડીકલ કોલેજને રાજ્ય સરકાર તરફ મળવા પાત્ર ગ્રાન્ટમાંથી 5 કરોડની ગ્રાન્ટ પણ દંડ પેટે કાપી લેવામાં આવશે.


શું હતી સમગ્ર ઘટના?


અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજમાં ગત 16થી 22 નવેમ્બર 2023 દરમિયાન 20 કરતાં વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાયા હતા. જેમાં આજે 17 જેટલા દર્દીઓની આંખોમાં ગંભીર પ્રકારની નુકસાની સામે આવી હતી.જેમાંથી 12 દર્દીઓને બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગુ પડ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું. બે દર્દીઓ હવે સંપૂર્ણપણે સાજા થયા જ્યારે 6 દર્દીઓને MNJ હોસ્પિટલમાં, 2 અમદાવાદની નગરી હોસ્પિટલ અને 6 દર્દીઓને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી હતી.. પ્રાથમિક તપાસમાં મોનારક બેક્ટેરિયા હોવાનું જાણવામાં આવ્યું હતું.ત્યારે આ મામલાની આરોગ્યવિભાગની તપાસ બાદ શાંતાબા હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!