Rajkotમાં બનેલી દુર્ઘટનાને લઈ Shankarsinh Vaghelaએ લખ્યો રાજ્યપાલને પત્ર, PM Modiનો ઉલ્લેખ પત્રમાં કરતા લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-28 14:33:44

ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ..એ મોરબીની હોનારત હોય કે પછી સુરતમાં બનેલું તક્ષશિલા કાંડ.. હરણી લેક બોટની દુર્ઘટના હોય કે પછી રાજકોટમાં શનિવાર સાજં બનેલી ઘટના.. ગુજરાતે અનેક દુર્ઘટનાઓ જોઈ, પરંતુ  ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ નથી લેતા.. જેના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાય છે અને લોકો મરી જાય છે.. જે ઘટનાઓ બની છે તે આપણના દિલને ચિરી દે તેવી છે.. ભાજપના નેતાઓ દ્વારા અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે જે જોતા લાગે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ જ પોતાની સરકારને સવાલ પૂછતા હોય.. ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે જેમાં અનેક વિષયો પર વાત કરવામાં આવી છે.. સરકારની કામગીરી પર મુખ્યમંત્રીની જવાબદારી પર તેમણે વાત કરી હતી. 


પત્રમાં કઈ વાતનો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો ઉલ્લેખ? 

પત્રમાં શંકરસિંહ વાઘેલાએ લખ્યું કે રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી આપ વાકેફ હશો.. સમગ્ર ગુજરાતની સંવેદનાઓને હચમચાવી નાખતી આ દુ:ખદ ઘટના બાબતે તમામ ગુજરાતીઓ વતી તેમની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો મારો વિનમ્ર પ્રયાસ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને વહીવટી બાબતો અંગેની સીધી જવાબદારી માનનીય મુખ્યમંત્રીશ્રીની જ બને છે એટલે આ અંગેની ફરિયાદ કે સૂચન તેઓશ્રીને જ કરવાનું હોય.. પરંતુ ચૂંટાયેલા જનપ્રતિકનિધિઓ બીન અસરકારકતા, બીન કાર્યક્ષમતા અને બેજવાબદાર વલણના કારણે બનેલી આ પહેલી કરૂણાતિકા નથીતે આપ જાણો છે..


છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી એકધારી સત્તા થકી આવેલા અહંકારના કારણે બેફામ અને ભ્રષ્ટ બનેલા સરકારી તંત્રના કાને પ્રજાની પીડાનો ચિત્કાર પડતો જ નથી. જેથી રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી દ્રવિત તમામ ગુજરાતીઓની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો આ મારો વિનમ્ર પ્રયાસ છે... તે સિવાય તેમણે બીજી એક વાત પણ કહી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહી આ વાત

તે ઉપરાંત તેમણે પત્રમાં નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે હું આપનું વિશેષ ધ્યાન દોરવા માંગુ છું કે હાલ દેશના વડાપ્રધાન પદ શોભાવતા શ્રી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી ધારાસભ્યપદે ચૂંટાવાથી થઈ હતી. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ એનો પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. કદાચ ચૂંટણીઓમાં મત મેળવવામાં વ્યસ્ત વડાપ્રધાન ભૂલી ગયા હશે કે તેઓ પણ ગુજરાતી છે.. હું આપના માધ્યમથી એમને ગુજરાતીઓનો સાદ પહોંચાડવા માંગું છું કે સત્તાઓ આવશે અને જશે લોકોના જીવ કેવી રીતે પાછા આવશે? જીંદગી આપી નથી શકતા તો છીનવી લેવાનો હક્ક કેવી રીતે મળે? એક ટ્વિટ કરી ભૂંજાઈ ગયેલા મૃતકોના સ્વજનોના ઘા પર મીઠું ભભરાવવાની ઓપચારિક્તા છોડી નૈતિક જવાબદારીનું વહન કરવા આપ વડાપ્રધાને એકાદ જાહેર સભામાં શ્રદ્ધાંજલિના બે શબ્દો કહ્યાં હોત તો આપણને આપણા પોતાના વડાપ્રધાન હોવાનો અહેસાસ થાત.. તે સિવાય તેમણે તપાસ માટે રચાયેલી તપાસ કમિટી એટલે કે એસઆઈટી અંગેની પણ વાત કરી.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.