ગુજરાતની રાજનીતિના ભીષ્મપિતા ગણાતા શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:48:13

ગુજરાતના રાજકારણમાં થોડા સમયમાં એક મોટો ટ્વિસ્ટ આવી શકે છે. બાપુ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર શંકરસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. થોડા સમય પેહલા જ આવનાર ટ્વિસ્ટ અંગે અર્જૂન મોઢવાડીયાએ આ અંગે હિંત આપી હતી. તેમણે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષમાં પુનરાગમન હમેશાં આવકાર્ય રહેશે. 

Statement of Shankar Singh: શંકરસિંહ વાઘેલાએ કહ્યું-જો ગુજરાતમાંથી દારૂબંધી  દૂર કરવા માટે આગોતરી જાહેરાત કરે તો જ હું કોંગ્રેસમાં જોડાઉં- વાંચો વિગત ...


બાપુના આવવાથી કોંગ્રેસને થશે ફાયદો

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. કોંગ્રેસમાં કોઈ પણ એવા નેતા નથી કે જેનો ચહેરો રાખી કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે. ત્યારે શંકરસિંહ બાપુના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.  વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષનો સહારો લઈ શંકરસિંહ બાપુ રાજકીય કાર્કિદીની ફરી એક વખત શરૂઆત કરી શકે છે. શંકરસિંહ બાપુએ પણ આડકતરી રીતે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો આપી દીધા છે. સૂત્રોના મત અનુસાર ભાજપને ગુજરાતમાં રોકવા માટે પણ તેઓ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. 

Congress : Big Leaders Leaving Congress One By One, Know Why Congress Is  Collapsing | Congress : એક બાદ એક મોટા નેતા છોડી રહ્યાં છે કોંગ્રેસનો હાથ,  જાણો કેમ તૂટી રહી છે કોંગ્રેસ


ચૂંટણી જીતવામાં ભાજપને પડી શકે છે મુશ્કેલી

અનેક દિવસોથી શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં સામેલ થશે તેવી વાતોએ જોર પકડ્યું છે. ગુજરાતની રાજનીતિમાં તેમના આવવાથી મોટા ફેરફાર થઈ શકે છે. બાપુ ક્યારે કોંગ્રેસમાં જોડાય છે તેની તારીખ  હજી સામે નથી આવી. બાપુ જો કોંગ્રેસમાં જોડાઈ ગયા તો ભાજપને પણ ચૂંટણી જીતવામાં મુશ્કેલી પડી શકે છે. ભાજપે અલગ રણનીતિથી ચૂંટણીમાં ઉતરવું પડશે કારણે બાપુએ રાજનીતિમાં ઘણો સમય ફાળવ્યો છે. રાજનીતિ અને ભાજપ વિશે તેઓ ઘણુ બધું જાણે છે. જેને કારણે ભાજપની ચિંતા વધી ગઈ છે.   
Gujarat Election 2022 : BJP Declare 59 Assembly Seats In-charges In Gujarat  | Gujarat Election 2022 : ભાજપે 59 વિધાનસભા બેઠકોના પ્રભારીઓની કરી જાહેરાત,  વાંચો આખું લિસ્ટ


આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.