શંકરસિંહ વાઘેલાએ લખનઉમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત, કાંઈક નવાજુનીના એંધાણ


  • Published By :
  • Published Date : 2023-06-29 16:08:56

દેશના તમામ નાના-મોટા પક્ષો આગામી લોકસભાની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન અને સીટોની વહેંચણી માટે વિવિધ રાજ્યોના અગ્રણી નેતાઓ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સક્રિય થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકીય નિવૃતી માણી રહેલા શંકર સિંહ વાઘેલાએ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રાજ્યના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાજ્યના વર્તમાન ગવર્નર આનંદી બહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે અખિલેશ યાદવ સાથેની બાપુની આ મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતના આ કદાવર ક્ષત્રીય નેતા આગામી દિવસોમાં શું નવાજુની કરે છે તેના પર સૌની નજર છે.


અખિલેશ યાદવ સાથે મિટિંગ અંગે શું કહ્યું?


પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. જો કે અખિવેશ યાદવ સાથેની તેમની મુલાકાતને બાપુએ એક શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. તેમની મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, હું અહીં શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો, જો કાંઈ રાજકીય બાબત હશે તો જાણકારી જાહેર કરવામાં આવશે. સમાન નાગરિક સંહિતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને વાઘેલાએ કહ્યું હતું કે, આ તેમની માર્કેટિંગની રીત છે બીજું કશું જ નથી. આ મુલાકાત પછી તેમણે એક સોશિયલ મીડિયા પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ વિપક્ષી એકતા માટે કામ કરી રહ્યા હોવાની વાત કહી છે. આ પૉસ્ટની સાથે જ બાપુએ પોતે રાજનીતિમાં સક્રિય થયા હોવાની જાણે પરોક્ષ જાહેરાત કરી છે.


આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત 


શંકરસિંહ વાઘેલાએ તેમના લખનઉ પ્રવાસના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બુધવારે મુલાકાત કરી હતી. તે જ પ્રકારે બાપુએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાતના આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે જાણી શકાયું નથી. જો કે બાપુએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.