શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 21:17:59


દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ લાંબી બીમારી બાદ આજે બપોરે ચાર વાગ્યા નજીક હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.  


અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાએ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.   


આવતીકાલે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધી અપાશે 

આવતીકાલે સાંજે પાંચ કલાકે પરમહંસી ગંગા આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના અંતિમ સંસ્કાર થશે. લાંબી બીમારીના ચાલતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની સાવરાવર બેંગલોર ખાતે કરવામાં આવી રહી હતી. 


કોણ હતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી?

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીએ નાની ઉમરે ગૃહત્યાગ કરી ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અનેક શાસ્ત્રોનું જ્ઞાન ગ્રહણ કર્યું હતું. તેઓએ અંગ્રેજો સામે આઝાદી માટે પણ લડત આપી હતી. 1981માં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય બન્યા હતા.  




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.