શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 21:17:59


દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ લાંબી બીમારી બાદ આજે બપોરે ચાર વાગ્યા નજીક હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.  


અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાએ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.   


આવતીકાલે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધી અપાશે 

આવતીકાલે સાંજે પાંચ કલાકે પરમહંસી ગંગા આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના અંતિમ સંસ્કાર થશે. લાંબી બીમારીના ચાલતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની સાવરાવર બેંગલોર ખાતે કરવામાં આવી રહી હતી. 


કોણ હતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી?

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીએ નાની ઉમરે ગૃહત્યાગ કરી ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અનેક શાસ્ત્રોનું જ્ઞાન ગ્રહણ કર્યું હતું. તેઓએ અંગ્રેજો સામે આઝાદી માટે પણ લડત આપી હતી. 1981માં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય બન્યા હતા.  




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.