શંકર ચૌધરીના પિતા લગધીરબાપાનું 102 વર્ષની વયે નિધન, પંથકમાં શોકની લાગણી, અંતિમયાત્રામાં જોડાયા હજારો લોકો


  • Published By :
  • Published Date : 2023-11-26 21:33:46

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પિતાનું નિધન થયું છે. પૂજ્ય લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજરોજ તેમની અંતિમયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને તેમના પુત્ર શંકરભાઈ ચૌધરી, તેમના પરિવારજનો, ધારાસભ્યો, સામાજિક અને સહકારી આગેવાનો અને આ પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભૂદાન યજ્ઞના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ સાથે મળીને તેમણે કામ કર્યું હતું. દુષ્કાળના સમયમાં આ પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી. 


સંત સમાગમમાં રહેતા


પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું.પૂજ્ય લગધીર બાપાનો પંથકના સંતો અને મહંતો સાથે સહવાસ રહેતો હતો. પૂજ્ય દત્તશરણાનંદજી, પૂજ્ય સદારામ બાપાજી, ઉજ્જનવાડા મંદિરના મહંતશ્રી, સણાદર મંદિરના પૂજ્ય ક્રિષ્નાનંદજી જેવા સંતો થી આધ્યાત્મિકતા નો નાતો ધરાવતા હતા.


10 વીઘા જમીન કરી હતી દાન


પૂજ્ય લગધીર બાપા આ પંથકના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે પોતાના ઘરમાં જ પ્રાથમિક શાળા તેમણે શરૂ કરાવી હતી. જીવન દરમિયાન પોતાની ભક્તિ અને શક્તિ મુજબ ગરીબોને જરૂરિયાત મુજબ મદદ કરી હતી. તેઓ આજીવન ગૌવ્રતિ હતા. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ તેઓ ભોજન લેતા હતા. પરંતુ જ્યારે ચોમાસામાં વાદળોના કારણે સૂર્યદેવના દર્શન ન થાય તો એ બે ત્રણ દિવસ સુધી ભોજન લેતા ન હતા. પંખીઓને ચણ તથા કીડિયારુ પૂરવાનો તેમનો નિત્યક્રમ આજીવન રહ્યો. પૂજ્ય લગધીર બાપાએપોતાની ખેતીની 10 વીઘા જેટલી જમીન તેમણે વાદીઓને વસાહત માટે એન.એ કરાવી દાનમાં આપી. જેમાં આજે 250 થી વધારે વાદી પરિવારો આજે નિવાસ કરે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.