'શરમ કરો...' શહીદ કેપ્ટનની વિલાપ કરતી માતા સાથે ફોટો પડાવતા મંત્રી પર વિપક્ષ લાલઘુમ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-24 19:49:01

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાનો પરિવાર શોકમાં ગરકાવ છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે વિપક્ષના નેતાઓ યુપીના કેબિનેટ મંત્રીઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.



ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય આગ્રામાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. મંત્રીએ રાજ્ય સરકારના વડા યોગી આદિત્યનાથ વતી શહીદના માતા-પિતાને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. શહીદની વૃદ્ધ માતાને તેમના ઘરના દરવાજે મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેઓ ઉદાસ વાતાવરણમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન મંત્રીની સાથે ફોટોગ્રાફરો પણ પહોંચી ગયા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ભાંગી પડી હતી. તેમણે રડતા સ્વરે કહેવાનું શરૂ કર્યું કે આ તમાશો બંધ કરો, પુત્રની શહાદતથી ભાંગી પડેલી માતા લગભગ હોશ ગુમાવી ચૂકી હતી અને વારંવાર પુત્રને પાછો આપવાનું કહીં રહી હતી, આ સાંભળીને બધા નિ:શબ્દ બની ગયા હતા. જો કે આવી હ્રદયદ્રાવક પરિસ્થિતીમાં પણ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારના કેબિનેટ મંત્રી ફોટો પડાવવામાં વ્યસ્ત હતા.


રાજૌરીમાં શહીદ થયા હતા જવાનો


જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગત બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. સેનાને રાજૌરીમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં 2 આતંકીઓ હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ગોળીબારમાં બે અધિકારીઓ અને બે જવાન શહીદ થયા હતા. સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રૂપર્સ પણ જોડાયા હતા, પરંતુ આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. સેનાના જવાનો નજીક પહોંચતા જ આતંકીઓએ તાત્કાલિક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.