'શરમ કરો...' શહીદ કેપ્ટનની વિલાપ કરતી માતા સાથે ફોટો પડાવતા મંત્રી પર વિપક્ષ લાલઘુમ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-24 19:49:01

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાનો પરિવાર શોકમાં ગરકાવ છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે વિપક્ષના નેતાઓ યુપીના કેબિનેટ મંત્રીઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.



ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય આગ્રામાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. મંત્રીએ રાજ્ય સરકારના વડા યોગી આદિત્યનાથ વતી શહીદના માતા-પિતાને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. શહીદની વૃદ્ધ માતાને તેમના ઘરના દરવાજે મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેઓ ઉદાસ વાતાવરણમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન મંત્રીની સાથે ફોટોગ્રાફરો પણ પહોંચી ગયા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ભાંગી પડી હતી. તેમણે રડતા સ્વરે કહેવાનું શરૂ કર્યું કે આ તમાશો બંધ કરો, પુત્રની શહાદતથી ભાંગી પડેલી માતા લગભગ હોશ ગુમાવી ચૂકી હતી અને વારંવાર પુત્રને પાછો આપવાનું કહીં રહી હતી, આ સાંભળીને બધા નિ:શબ્દ બની ગયા હતા. જો કે આવી હ્રદયદ્રાવક પરિસ્થિતીમાં પણ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારના કેબિનેટ મંત્રી ફોટો પડાવવામાં વ્યસ્ત હતા.


રાજૌરીમાં શહીદ થયા હતા જવાનો


જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગત બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં આગ્રાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. સેનાને રાજૌરીમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં 2 આતંકીઓ હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ગોળીબારમાં બે અધિકારીઓ અને બે જવાન શહીદ થયા હતા. સર્ચ ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોની સાથે પેરાટ્રૂપર્સ પણ જોડાયા હતા, પરંતુ આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. સેનાના જવાનો નજીક પહોંચતા જ આતંકીઓએ તાત્કાલિક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.