શક્તિસિંહ ગોહિલે કહ્યું, 'રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભાજપની પોલિટિકલ ઇવેન્ટ', અલ્પેશ ઠાકોરની કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2024-01-11 23:06:05

રામ મંદિરને લઈને રાજકારણ ગરમાયુ છે. રામ મંદિરના પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવના આમંત્રણને લઈને ભાજપ અને કોંગ્રેસ અમને સામને આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને ભાજપની ઈવેન્ટ ગણાવીને કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)  આજે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ કરે છે. તેનો હિસ્સો ના થઈ શકાય. તેમણે કહ્યું કે અમે પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું. સાથે સાથે જ શક્તિસિંહ ગોહિલે એવું પણ કહ્યું હતું કે ભાજપ ઇવેન્ટ કરી રહી છે અને આ ઇવેન્ટના ભાગીદાર અમે બનવા નથી માંગતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ભાજપ ચૂંટણી આવી રહી છે એટલે રામને વટાવે છે. આ પ્રસંગે તેમણે ભાજપના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ ઝાટકણી કાઢી હતી.


શું કહ્યું શક્તિસિંહ ગોહિલે?


શક્તિસિંહ ગોહિલે આજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં કોઈપણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્ર મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજનો હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એવું કહેતા હોય કે જે મંદિરનું કામ હજુ પૂર્ણ નથી થયું તેની પ્રતિષ્ઠા ન કરી શકાય. હું પોતે એક હિન્દુ છું. મારા માટે સર્વોત્તમ શબ્દોએ શંકરાચાર્યજી મહારાજના જ છે. જ્યારે શંકરાચાર્યજી મહારાજ આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રામના નામે મત લેવા માટે પોલિટિકલ ઈવેન્ટ કરે છે.


અલ્પેશ ઠાકોરના પર બગડ્યા શક્તિસિંહ 


ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ રાવણની વિચાર ધારા રાખે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે કે અલ્પેશ ઠાકોર પહેલા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ વિશે કેવા પ્રહારો કરતા હતા તે જોઈ લો. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.